જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ લાદવામાં આવેલ કડક પ્રતિબંધ પણ ધીમેધીમે હટાવવામાં આવ્યા હતા. શુક્રવારે મોડી રાતથી કેટલાય વિસ્તારોમાં ફોન સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. તો સોમવારથી કેટલાય વિસ્તારોમાં શાળાઓ રાબેતા મુજબ થશે.
4 સૂત્રી લોન્ગ ટર્મ પ્લાન
નોંધનીય છે કે, કલમ 370 મામલે લેવાયેલા ઐતિહાસિક નિર્ણય બાદ પ્રતિબંધ પૂર્ણ રીતે હટાવાયા બાદ પણ પડકારો આછા થવાના નથી પરંતુ વધવાના છે. જેને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવા માટે 4 સૂત્રી લોન્ગ ટર્મ પ્લાન બનાવવામાં આવ્યો છે , જેમાં મિલિટ્રીથી લઇને મૌલાના સુધીના તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ કાશ્મીરના નેતોઓની નજરબંધી પુરી રીતે ખતમ કરવામાં આવશે નહીં. પ્લાન મુજબ સરકાર સમય અને જરુરીયાતના હિસાબથી પણ હુરિયત અને મુખ્ય ધારાના નેતાઓને નજર બંધ કરતી રહેશે. સરકારને આશંકા છે કે નેતા જનતાને પ્રભાવિત કરી શકે છે.
'કમ્યુનિટી બોન્ડ' રણનીતિ
આપને જણાવી દઇએ કે, આ તરફ પથ્થરબાજો અને હિંસક પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા માટે 'કમ્યુનિટી બોન્ડ' રણનીતિ પર કામ કરવામાં આવશે. જોવામાં આવ્યું છે કે, પથ્થરબાજોમાં જોવા મળતી ભીડમાં સૌથી વધુ 15 થી 16 વર્ષની ઉંમર ધરાવતા બાળકો હોય છે. આ રણનીતિ દ્વારા પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવશે નહીં પરંતુ તેમના પરિવારજનો અને સગા સંબંધી પાસેથી એક બોન્ડ પર હસ્તાક્ષર કરાવવામાં આવશે જેમાં તેઓ સમજાવી શકે. આમ કરવાથી તે યુવકો ફરી પથ્થરબાજીમાં સામેલ થશે નહીં.
આતંકીઓ પર લાગશે લગામ
4 સૂત્રી લોન્ગ ટર્મ પ્લાનમાં ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો છે કે, બોર્ડર પર આવતા આતંકીઓ પર લગામ લગાવવી પડશે. જેના માટે સરકારે નક્કી કર્યું છે કે, લાઇન ઓફ કંટ્રોલ(LOC) જ્યાંથી પાકિસ્તાની આતંકીઓ કાશ્મીરમાં પ્રવેશે છે ત્યાં સેના ખડકી દેવામાં આવશે.
પંજાબ અને જમ્મુની સીમા સુરક્ષામાં કરાશે વધારો
આ સાથે જ સરકાર પંજાબ અને જમ્મુની સીમા સુરક્ષા કરવાની પણ યોજના વિચારી રહી છે. ચોથુ સરકાર તે મૌલાનાઓની ઓળખ અને દેખરેખ કરશે જેઓ હિંસા અને અશાંતિ ફેલાવે છે. પોલીસ અઘિકારી આવી કોઇપણ વ્યક્તિ સાથે કડક વર્તન કરીને તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરશે.
અત્રે નોંધનીય છે કે, કલમ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરના 2 અલગ-અલગ ભાગ કર્યા બાદ ગત 13 દિવસોમાં કેટલાક કડક નિયમો લાગુ કરશે. ઘાટીમાં 400 જેલોમાં 400 નેતાઓને હાલ નજરબંધ કરવામાં આવ્યા છે.