લોકસભા ચૂંટણી 2019નાં પ્રથમ ચરણ માટે ગુરૂવારનાં રોજ મતદાન યોજાવાનું છે. સત્તાધારી દળ ભારતીય જનતા પાર્ટી એક વાર ફરીથી નરેન્દ્ર મોદીનાં ફેસથી ચૂંટણી લડી રહી છે. ત્યારે વિપક્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક છે. મતદાનનાં 24 કલાક પહેલાં એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં મોદી સરકારનાં પાંચ વર્ષનાં કાર્યકાળનાં લેખા-જોખા રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં 2014માં ભાજપ દ્વારા કરવામાં આવેલ 50 વાયદાઓને આધાર બનાવવામાં આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું કે, મોદી સરકાર આમાં માત્ર 12 વાયદાઓ જ પૂર્ણ કરી ચૂકી છે.
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રૉયટર્સનાં રિપોર્ટ કાર્ડ અનુસાર, 50 વાયદાઓમાંથી સરકારનાં 21 વાયદાઓ આંશિક રૂપથી પૂર્ણ થયાં છે. જ્યારે 17 વાયદાઓ સંપૂર્ણ રીતે અધૂરાં છે એટલે કે કોઇ પણ કામ પૂર્ણ નથી થયું. રૉયટર્સે કૃષિ, અર્થવ્યવસ્થા, રોજગાર, શિક્ષા, હેલ્થકેર અને ગવર્નેંસ ક્ષેત્રમાં મોદી સરકારનાં રિપોર્ટ કાર્ડને તૈયાર કરવામાં આવ્યો છે.
જે 12 વાયદાઓ પૂર્ણ કર્યા છે તે...
1. ખેડૂતોનાં પાક બળી ગયાં બાદ તેને આર્થિક મદદ પહોંચાડવી, આ અંતર્ગત પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી. પહેલાં 50 ટકા પાક ખરાબ થવાં પર મદદ મળતી હતી, હવે 33 ટકા પાક ખરાબ થવાં પર પણ મદદ આપવામાં આવી રહી છે.
2. કૃષિ માર્કેટિંગ કમેટી એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યાં, આ અંતર્ગત રાજ્યોએ પણ કાયદામાં ફેરફાર કર્યા છે.
3. ખેડૂતોને માટે રાષ્ટ્રીય મંડીની વ્યવસ્થા કરવામાં આવી. આનાં પર નજર રાખવા માટે એક પોર્ટલને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિવાય ખેડૂતોને ખેતી કરવા માટે મદદનો વાયદો પણ પૂર્ણ કરાયો છે.
4. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની વૈશ્વિક રેકિંગમાં સુધાર.
5. ખેતી અને બાગવાની સાથે જોડાયેલ વસ્તુઓનાં ભાવ પર લગામ લગાવવા Price Stabilisation Fundની વ્યવસ્થા કરવામાં આવી.
6. ઇન્દ્રધનુષ યોજના અંતર્ગત બેંકિંગ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો. જનધન યોજના અંતર્ગત કરોડો બેંક ખાતા પણ ખોલવામાં આવ્યાં.
7. અપ્રેંટિસશિપ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યાં.
8. સ્વયં યોજના અંતર્ગત ઓનલાઇન પ્લેટફોર્મ ખોલવામાં આવ્યાં, જેનાંથી યુવાઓને રોજગાર માટે ટ્રેનિંગ આપવામાં આવી.
9. અંદરોઅંદરનાં ઝઘડાઓનાં અનેક કેસોને લોક અદાલતને ધ્યાને રાખીને નિપટાવવામાં આવ્યાં, આનાંથી કોર્ટો પર દબાવ ઓછો થયો.
10. જૂના અને બેકાર કાયદાને ખતમ કર્યા.
11. નેશનલ હેલ્થકેર પૉલિસીને 2017માં લોન્ચ કરવામાં આવી. આનો ઉદ્દેશ્ય દરેક લોકોને ઉત્તમ સારવાર આપવાનો છે.
12. મહેસૂલી નુકસાનને કાબુમાં લાવવામાં આવ્યો. આને હજી 3.4 ટકા સુધી લાવવામાં આવેલ છે. લક્ષ્ય 3ની આસપાસનો જ હતો.
...જે વાયદાઓ આંશિક રૂપથી પૂર્ણ થયાં.
જે વાયદાઓ આંશિક રૂપથી પૂર્ણ થયાં છે, તેમાં ખેડૂતોને પેન્શન, ખેડૂતોનાં પાકનો રિયલ ટાઇમ ડેટા, પાકોની મિનિમમ પ્રાઇઝ, રોજગાર, તમામને માટે ઘર, નાના વેપારોને પ્રોત્સાહન, એફડીઆઇ, ટેક્સ, કાળાં નાણાં માટે ટાસ્ક ફોર્સ, બેંકિંગ સેક્ટરને બૅડ લોનથી બચાવવું, દરેક રાજ્યમાં એમ્સ હોસ્પિટલ જેવાં કુલ 21 વાયદાઓ આંશિક રૂપથી પૂર્ણ છે. એટલે કે આનાં પર તો કામ શરૂ છે અથવા તો પછી પૂર્ણ થવાનાં આરે છે.
જેનાં પર કંઇ જ કામ નથી થયાં...
મૅન્યુફેક્ચરિંગ માટે ગ્લોબલ હબ ઊભું કરવાનો વાયદો હતો જેના પર કોઈ કામ થયું નથી.
આ ઉપરાંત મોદી સરકારે 2014માં નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે તેમ જ મજબૂત કરવા માટે ટાસ્ક ફોર્સ ઊભી કરવાનું વચન આપ્યું હતું. જેના પર કોઈ પણ પ્રગતિ હાલ સુધી જણાઈ નથી.
ભાજપે સરકાર બનાવતા પહેલાં કહ્યું હતું કે જો અમે સરકાર બનાવીશું તો મલ્ટી બ્રાન્ડ સેક્ટરમાં FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) પર પ્રતિબંધ લાવીશું જેથી નાના તેમ જ છૂટક વેપારીઓને નુકસાન ન થાય. જો કે આ વાયદામાં પણ જૈસૈ થે જેવી સ્થિતિ રહી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં ફેરફાર કરવાનો પણ મોદી સરકારે વાયદો કર્યો હતો જેના પર કોઈ કામ થયું નથી.
શાળાઓમાં મિડ-ડે મીલની ગુણવત્તામાં સુધારો કરવાનો વાયદો પણ મોદી સરકારે આપ્યો હતો. જો કે આ મામલે કોઈ સુધારો જણાયો નથી.
ભાજપે પોતાની સરકાર આવશે તો જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કલમ 370ના હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યને સ્વાયત્તતાનો દરજ્જો મળેલો છે.
કલમ 35A પણ ખતમ કરવાનો પણ વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર પણ કોઈ કામ થયું નથી. ઉલ્લેખનીય છે કે કલમ 35A એ કલમ 370નો જ એક ભાગ છે. જેના હેઠળ જમ્મુ-કાશ્મીરના સ્થાનિકોને વિશેષ હક્ક અને દરજ્જો મળેલો છે.
મોદી સરકારે એ પણ વાયદો કર્યો હતો કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજીશું પરંતુ તે પણ થઈ શક્યું નથી.
આ ઉપરાંત સંદિગ્ધ સાંસદો પર કાર્યવાહી સહિત કુલ 17 એવાં મોટાં વાયદાઓ છે કે જેનાં પર કોઇ જ કામ નથી થઇ શક્યાં.