કોરોના વાયરસ દેશ અને દુનિયા માટે ચેલેન્જ બન્યો છે. દેશમાં 22 માર્ચથી હાલ સુધીની સ્થિતિને જોતાં કેસમાં લગભગ 3 ગણો વધારો થયો છે. આ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોદી સરકારે લૉકડાઉનની સાથે સાથે એક અન્ય એક્શન પ્લાન બનાવ્યો છે. તમે તેને 7 સરળ સ્ટેપ્સમાં સમજી શકશો. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર પણ કોરોનાની વિરુદ્ધની રણનીતિ શૅર કરવામાં આવી છે. આ 20 પાનાના ડોક્યુમેન્ટમાં સરકારે કોરોનાના સંક્રમણને પાર કરવાનો એક્શન પ્લાન મૂક્યો છે.
કોરોનાને માત આપવા મોદી સરકાર તૈયાર
તૈયાર કર્યો 20 પાનાનો એક્શન પ્લાન
7 સ્ટેપ્સમાં કામ કરશે આ પ્લાન
1. આ રણનીતિના આધારે સૌથી પ્રભાવિત વિસ્તારને પૂરી રીતે બફર ઝોન બનાવીને સીલ કરાશે. આ વિસ્તારને લગભગ 1 મહિના સુધી બંધ રાખવામાં આવશે. અહીં કોઈની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવાશે.
2. જે વિસ્તારોમાં કોરોનાના દર્દી હશે ત્યાં સ્કૂલ, કોલેજ અને ઓફિસને બંધ રાખવામાં આવશે, સાથે જ અહીં પ્રાઈવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને જવાની પરમિશન પણ અપાશે નહીં. ફક્ત મહત્વની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
3. આ વિસ્તારોમામં જવાની પરમિશન ત્યારે જ મળશે જ્યારે અહીં કોઈ પણ નવા કોરોનાના દર્દીઓ નહીં મળે. આ માટે શરત રાખવામાં આવી છે કે છેલ્લો પોઝિટિવ દર્દી મળવાના 4 અઠવાડિયામાં તમામ પાબંધીઓ હટાવી દેવાશે.
4. કોરોનાના દરેક દર્દીને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. આ એ હોસ્પિટલ હશે જેને ખાસ કરીને કોરોનાને માટે જ તૈયાર કરવામાં આવશે.
5. કોરોનાના દર્દીને હોસ્પિટલથી રજા આપવાને માટે પણ ખાસ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી છે. તેના આધારે કોઈ પણ દર્દીને ત્યારે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાશે જ્યારે તેના સતત 2 સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવે. આ સિવાય ઓછા લક્ષણો વાળા દર્દીઓને સ્ટેડિયમમાં રાખવામાં આવશે. થોડા વધારે લક્ષણ વાળા દર્દીઓને હોસ્પટલમાં રાખવામાં આવશે. જ્યારે ગંભીર દર્દીઓને મોટા અને સ્પેશ્યલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
6. ઈન્ફ્લુએન્ઝા જેવી બીમારીની તપાસને માટે સ્વાસ્થ્ય કેન્દ્રોએ જવાનું રહેશે. કોઈ પણ પ્રકારની વધારાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને સાથે વધુ તપાસ માટે તેને સર્વિલાંસ, ઓફિસર કે સીએમઓની જાણકારીમાં લાવવામાં આવશે.
7. સરકાર કોરોનાની તપાસની સંખ્યાને વધારવા માટે પણ સતત તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર સરકાર પહેલાં જ તેને માટે 50 લાખ રેપિડ ટેસ્ટ કિટનો ઓર્ડર આપી ચૂકી છે.