લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાના સમાચાર જે રીતે સોશ્યલ મીડિયા પર વાયરલ થયા તે પછી કેરળના લોકોએ બેંકની બહાર ખાતુ ખોલાવવા માટે લાઇન લગાવી દીધી.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને સાચ્ચા માનીને લોકોએ પોસ્ટ બેંક ખાતુ ખોલાવવા માટે મોટી સંખ્યામાં લાઇન લગાવી દીધી. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ અનુસાર, મોદી સરકારે વચન પ્રમાણે ઇન્સ્ટોલમેન્ટના 15 લાખ જમા કરાવવાનું શરૂ કરુ કર્યુ છે. આ રકમ ઇન્ડિયા પોસ્ટ સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે, તેમાંથી 3 લાખનું પહેલુ ઇન્સ્ટોલમેન્ટ જમા કરાવવામાં આવ્યી રહ્યુ છે.
કેરળમાં મુખ્યત્વે ચાના બગીચા છે. બગીચામાં કામ કરતા મજૂરો મંદહશે નિરક્ષર છે, જેથી સોશ્યલ મીડિયા પર વાયરલ થતા મેસેજને કારણે લોકો નજીકની પોસ્ટ ઑફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માટે લાઇનમાં ઉભા રહી ગયા.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજથી પોસ્ટ ઑફિસોમાં લોકોનો ઘસારો એટલો બધો હતો કે પોસ્ટના અધિકારીઓએ પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસ બોલાવી હતી. અધિકારી અનુસાર, મુન્નાર પોસ્ટ ઑફિસમાં ગત 3 દિવસોમાં 1050થી વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા છે. જોકે આ વચ્ચે લોકોને સમજાવવા માટે તમિલ અને મલયાલમમાં પણ નોટિસ મૂકી હતી. અમુક લોકો લખી-વાંચી ન શકતા લોકોના એપ્લિકેશન ફોર્મ ભરી આપીને પૈસા પણ કમાઇ રહ્યા હતા.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગત રવિવારે મુન્નારમાં પોસ્ટ સેવિંગ બેંક એકાઉન્ટનો મેસેજ આવ્યો હતો. આ સ્કીમમાં આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટાની મદદથી કોઇપણ ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંકનું એકાઉન્ટ માત્ર 100 રૂપિયામાં ડિપોઝિટ જમા કરાવી ખોલી શકે છે. આ એકાઉન્ટનો ઉપયોગ કરીને 1 લાખ સુધીની રકમ ટ્રાન્સફર અને બિલ પેમેન્ટ્સ માટે કરી શકાય છે. અહીં ચાના બગીચામાં કામ કરતા લોકો નિરક્ષર હોવાથી મેસેજ સમજી ના શક્યા અને લાઇન લગાવીને ઉભા રહી ગયા.