પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિતના પીઢ મંત્રીઓ સાથે એ ખાસ બેઠક યોજી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં કોરોના વાયરસ મહામારીને રોકવા અને લૉકડાઉનથી પ્રભાવિત થયેલા ક્ષેત્રો માટે બીજું એક રાહત પેકેજને લઇને ચર્ચા કરી હતી આ બેઠકમાં નાણામંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થયાં હતા.
PM મોદી, અમિત શાહ તથા નિર્મલા સીતારમણ વચ્ચે યોજાઇ બેઠક
દેશ માટે બીજા રાહત પેકેજને લઇને થઇ ચર્ચા
ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રોનો હવાલો આપતા કોરોના સંબંધી ખર્ચ વધારે 60 અરબ ડોલર(4.5 લાખ કરોડ) રૂપિયા થઇ શકે છે. કેન્દ્ર સરકારને ડર સતાવી રહ્યો છે કે, જો કોરોનાના મદમાં ખર્ચ જો તેનાથી વધારે થઇ ગયો તો દેશની ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થશે અને જેના કારણે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થશે.
સરકાર મોટું રાહત પેકેજ ન આપી શકે
વિકસિત અને વિકાસશીલ દેશો માટે રેટિંગ એજન્સીનો જુદો મત છે. મંગળવારે રેટિંગ એજન્સી ફિચે કહ્યું હતું કે જો ભારતનું નાણાકીય દૃષ્ટિકોણ વધુ વણસે તો રેટિંગ્સ પરનું દબાણ નોંધપાત્ર રીતે વધશે. આવી સ્થિતિમાં સરકાર મોટું રાહત પેકેજ નહીં લાવવાની મજબૂર છે.
વધુમા વધુ 3 લાખ કરોડનું રાહત પેકેજ સંભવ
એક અધિકારીનો હવાલો આપતા જણાવાયું કે, 1.7 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત પહેલા પણ થઇ ચૂકી છે. જે જીડીપીના આશરે 0.80 ટકા છે, અન્ય રાહત પેકેજ માટે સરકારની પાસે જીડીપી 1.5-2 ટકા સ્પેશ વધે છે. એવામાં સરકાર વધારેમાં વધારે 3 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ લાવી શકે છે.
Had a meeting to review aspects relating to agriculture reform. Our priority areas are reforms in agriculture marketing, management of marketable surplus, access of farmers to institutional credit and freeing agriculture sector of various restrictions. https://t.co/bSRYn4bWPy
સ્ટિમૂલસ પ્લાનને લઇને કહેવામાં આવ્યું કે, સરકારી પ્રાયોરિટીમાં એવા લોકો આવે છે જેમની નોકરી છૂટી ગઇ છે. આ સિવાય નાની-મોટી કંપનીઓને રાહત આપવામાં આવી શકે છે. સંભવ છે કે, થોડા સમય માટે ટેક્સ હોલિડેનું પણ એલાન કરવામાં આવે.
રેટિંગ મામલે કેન્દ્રમાં છે ભારત
ઘણી રેટિંગ એજન્સીઓ કહે છે કે ભારતની અર્થવ્યવસ્થા રેટિંગના કેન્દ્રમાં છે. આવી સ્થિતિમાં સરકાર ખુલ્લેઆમ રાહતનું એલાન કરી શકતી નથી. આ બજેટમાં 2 લાખ કરોડનું ખાનગીકરણ કરવાની યોજના હતી, જે સંપૂર્ણ રીતે પાણી ફરી વળ્યું છે. આજે લોકડાઉનને છૂટની સાથે બે અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. -54 દિવસના લોકડાઉનની અસર ટેક્સ કલેક્શન પર પણ પડશે.
- ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુરૂવારે આ મુદ્દે અલગ-અલગ 3 બેઠક યોજવામાં આવી હતી. પ્રથમ બેઠક વિદેશ રોકાણ અને ઔદ્યોગિક વિકાસના મુદ્દા પર યોજાઇ, જેમાં વિદેશી, સ્થાનિક રોકાણકારોને ઉત્તમ સગવડ આપવા મુદ્દે ચર્ચા થઇ. જેમાં Plug & Play મોડલ પર ભાર આપવામાં આવ્યો.
- આ બેઠકમાં ઔદ્યોગિક રોકાણ વધારવા માટે ખાસ સ્કીમ લાવવા અંગેનો વિચાર કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીઓ જણાવ્યું કે, સમયબદ્ધ રીતે જરૂરી મંજૂરી મળવી જોઇએ, આ બેઠકમાં નાણામંત્રી તથા ઉદ્યોગ મંત્રી ખાસ હાજર રહ્યા હતા.
- બીજી બેઠકમાં મુખ્યમુદ્દો કોલ, માઇનિંગ સેક્ટરના વિકાસને લઇને હતો. જેમાં કોલ, માઇનિંગમાં રોકાણ વધારવા અંગેની રણનીતિ બની. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ઇમ્પોર્ટની જગ્યાએ સ્થાનિક કોલનો ઉપયોગ થાય.