કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાાંધીએ પોતાના પિતા અને દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર યુદ્ધજહાજનો ઉપયોગ રજાઓ માણવા કરવાના આરોપોને નકાર્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષે પોતાનું એક્સ્લુઝિવ ઇન્ટરવ્યૂ જાણીત અખબાર હિંદુસ્તાન ટાઇમ્સને આપ્યું હતું.
જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટનો ઉપયોગ પર્સનલ ટેક્સી તરીકે ફેમિલી હોલિડે મનાવવા માટે કર્યો હતો તે આરોપ અંગે ખુલાસો કર્યો હતો. આ મુખ્ય મુદ્દા સહિત તેમણે ઘણી અન્ય બાબતો પર આ વિશેષ ઈન્ટરવ્યૂમાં ખૂલીને જવાબો આપ્યાં હતાં.
સવાલઃ તમારી સ્ટાઈલમાં એક અલગ બદલાવ જોવા મળી રહ્યો છે
છેલ્લાં પાંચ વર્ષમાં મને શીખવા મળ્યું છે કે કેવી રીતે નકારાત્મકતા અને ગુસ્સાને પોતાના પર હાવી ન થવા દેવી જોઈએ. એટલે જ્યારે મિ. મોદી મારા અને મારા પરિવાર વિશે કંઈ પણ ખરાબ શબ્દો વાપરે છે ત્યારે મારી પાસે એક હાસ્ય સિવાય કાંઈ હોતું નથી. હું તેમના ક્રોધને મારા સુધી આવવા જ નથી દેતો અને હું કોઈ પ્રતિક્રિયા આપતો નથી. સત્ય એ છે કે તેમનો આ ક્રોધ તેમને જ નુકસાન કરે છે.
સવાલઃ ચંદ્રબાબુ નાયડુ (તેલુગુ દેશમ પાર્ટી પ્રમુખ) પ્રમાણે પ્રધાનમંત્રી જે રીતે ભાષણો આપી રહ્યાં છે તેવું રાજનીતિમાં આજ દિન સુધી જોવા મળ્યું નથી. આપણી સંસ્કૃતિ ક્યારેય દિવંગતોનો અનાદર નથી કરતી.
રાહુલ ગાંધીએ જવાબ આપતાં કહ્યું ખરેખરમાં આ સત્ય નથી. RSSએ પણ ગાંધીજીનો અનેક વખત અનાદર કર્યો છે. મહાત્મા ગાંધીજી દેશના અવાજ માટેનું એક સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમ છતાં મહાત્મા ગાંધીજીની વાત કરીએ તો તેમનાં હત્યારાની પણ કેટલાંક લોકો પૂજા કરે છે અને તેમનું એક મંદિર પણ બનાવ્યું છે. એટલે આમાં કંઈ નવાઈ નથી. જે ખુદને નફરત કરે તે જ અન્ય વ્યક્તિને નફરત કરી શકે. જેથી મોદીની પણ સમસ્યા એ જ છે કે તેઓ ખુદને જ નફરત કરે છે.
સવાલઃ પણ તમારી પાર્ટી તો તેનાથી વિપરિત કહે છે, તેઓ તો કહે છે PM મોદી પોતાની જાતને પ્રેમ કરે છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ ખુદને તો પ્રેમ કરે છે પણ એક હદ પછી જોશો તો તેમનામાં ખૂબ ઘમંડ રહેલો છે. અને આ હું, હું અને હું તે એક ડરના કારણે આવતું હોય છે અને આ ડર તેઓ પોતાની જાતને નફરત કરે છે તેનાથી આવે છે. તમામ નકારાત્મક ભાવનાઓનો સ્ત્રોત માત્ર ભય છે ને આપણે એવી જ વસ્તુ કે વ્યક્તિને નફરત કરીએ જેનાથી આપણને ભય હોય. જ્યારે મને મોદીથી ભય નથી જેથી હું તેમને નફરત નથી કરી શકતો.
સવાલઃ તેમણે કહ્યું કે તમારા પિતાએ પર્સનલ હોલિડે માટે યુદ્ધ જહાજનો ઉપયોગ કર્યો
આ તદ્દન ખોટી વાત છે. PM મોદી તમામ સવાલોનાં જવાબો આપવાનું ટાળી રહ્યાં છે જેવાં કે, તેઓએ એક વર્ષમાં 20 મિલિયન નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો, ખેડૂતો મુદ્દે કોઇ જવાબ નથી આપી શકતા, લોકોનાં બેંક એકાઉન્ટમાં કેમ 15 લાખ નથી નાખી રહ્યાં, કેમ તેઓ રાફેલ મુદ્દે જવાબ નથી આપી રહ્યાં. જેથી હવે તેમની પાસે માત્ર એક જ વિકલ્પ છે કે ભૂતકાળનાં મુદ્દાઓને ઉખાડવા. પરંતુ હવે અમે તેમનાં ભવિષ્ય, વર્તમાન ને ભૂતકાળનાં મુદ્દાઓ અંગે પણ તમામ દરવાજાઓ બંધ કરી દઇશું. તેઓ ભલે ભૂતકાળનાં મુદ્દાઓને ઉખેડીને વર્તમાન સવાલોથી ભાગવાની કોશિશ કરે પરંતુ તેઓએ કરેલા વાયદાઓથી ભાગી નહીં શકે.
જવાબ આપતાં કહ્યું કે હું INS વિરાટ પર ગયો હતો. હું મારા પિતાજી સાથે ગયો હતો જ્યારે તેઓ પ્રધાનમંત્રી હતા. જેથી ઘણી તસવીરો છે, તેઓ સત્તાવાર મુલાકાતે ગયાં હતાં અને હું તેમની સાથે હતો.
સવાલઃ એટલે કે આ ઓફિશીયલ ટ્રીપ હતી?
જી હા, કોઈ શંકા નથી તેમાં.
સવાલઃ એટલે INS વિરાટ સાથે લક્ષદ્વીપમાં હૉલિડે
રજાઓ અને INS વિરાટ પર? આ કેવી ગાંડા જેવી વાત છે. શું કામ કોઈ વ્યક્તિ ત્યાં રજાઓ માણવા જાય. તે ઍરક્રાફ્ટ કેરિયર છે નહીં કે ક્રૂઝ શિપ.
સવાલઃ તેઓ કહી રહ્યાં છે કે વિરાટ INSનો ઉપયોગ કર્યો હતો અને આરોપ છે કે ત્યાં સિક્યોરિટી કે સેફ્ટી માટે પાર્ક કરાયું હતું.
આ મને શું કામ પૂછો છો, તમારે નેવી પાસેથી તપાસ કરાવવું જોઈએ. 35 વર્ષ અગાઉ કયા કારણથી ઍરક્રાફ્ટ કેરિયર ત્યાં ઍન્કર કરાયું હોય તે મને કેવી રીતે ખબર હોય? પરંતુ આ વાતથી ખ્યાલ આવે છે કે મોદી વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવવા માટે એક સ્મોકસ્ક્રીન બનાવે છે, જેની પર આ ચૂંટણી લડી શકાય અને और आप जैसे पत्रकार चारा काटते हैं। મોદીજી હંમેશા અતીતને વાગોળતા વાગોળતા જ દેશને ચલાવે છે. દેશને ચલાવવા માટે હંમેશા વર્તમાનમાં રહેવું પડે અથવા તો ભવિષ્યમાં જોવું પડે.
અમે ભારતની સામે આવનારા વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને જેથી અમારી દ્રષ્ટિ માત્ર ભવિષ્ય પર છે. અમે મોદીને વર્તમાનથી ભાગવા નહીં દઇએ જ્યારે બીજી બાજુ હકીકત એ પણ છે કે મોદી ભવિષ્યથી દૂર ભાગી રહ્યાં છે. કેમ કે તેમને ખ્યાલ છે કે ભારતનાં ભવિષ્યના પાઠ્યક્રમને જોવા માટે તેમની દ્રષ્ટિમાં ઉણપ છે.
સવાલઃ ઘણાં નેતાઓ તમને PM તરીકે જોવા માંગે છે, આ મામલે શું અનુભવ કરો છો?
હું આ તમામ નેતાઓનું સન્માન કરું છું. પરંતુ દેશના પ્રધાનમંત્રી બનાવવાનો અધિકાર માત્ર દેશની જનતાને જ છે. હું તેમના નિર્ણયનું સન્માન કરીશ અને તેઓ નક્કી કરશે કે આ દેશના આગલા PM કોણ બનશે
સવાલઃ કેવી રીતે શિવસેના કે RSS જેવી સંસ્થા સહિત તમામ પક્ષોને સાથે લઈને ચાલશો?
અમે એક વિચારધારા સાથે લડી રહ્યાં છીએ. મારા માટે સૌથી મોટી ચૅલેન્જ હશે કે આ તમામ અવાજોને એકસાથે કેવી રીતે લાવું જેથી એક એવો સંવાદ બને જેનાથી રાષ્ટ્રના ભવિષ્ય માટે સારા કામ થઈ શકે.
સવાલઃ નરેન્દ્ર મોદીને પણ સાથે લઈને ચાલશો?
નરેન્દ્ર મોદી પણ એક વ્યકિત છે અને તે પણ પોતાની એક વિચારધારા ધરાવે છે. વ્યક્તિગત રીતે હું તેમને પ્રેમ કરું છું અને મને દરેક જીવિત વ્યક્તિ માટે પ્રેમ છે. તેમ છતાં હું તેમની વિચારધારાની સખ્ત વિરુદ્ધ છું અને તેમની વિચારધારાને ધ્વંસ્ત કરવા માટે કંઈ પણ કરીશ.
સવાલઃ તેઓ કહે છે કે તે સૂતાં નથી
આ કેવી ગાંડા જેવી વાત છે. આ પણ એક જૂઠ્ઠાણું છે અને કોણે કહ્યું કે ઊંઘવું નહીં એ કામ કરવાનું પ્રમાણપત્ર છે?
સવાલઃ મીડિયા જે જુએ છે તે કહે છે. ગ્રાઉન્ડ પર જાય છે ત્યારે રોજગારી અને આર્થિક નીતિઓને લઈને ઘણી સમસ્યાઓ જણાય છે પરંતુ પાછા આવે છે ત્યારે પીએમ મોદીની લોકપ્રિયતાની પણ વાતો કરે છે. તેઓ કહે છે કે તેમના નામ પર ચૂંટણી તો જીતી શકે છે.
23 મે સુધી આપણે રાહ જોઈએ. 2 વર્ષ પહેલાં તમે કહેતાં હતાં કે ગુજરાતમાં તેઓ ક્યારેય ન હારી શકે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માંડ માંડ તેઓ બચી ગયાં. તમે કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ કહેતાં હતાં કે નહીં જીતી શકાય. અમે આ બધા રાજ્યોમાં હરાવ્યાં છે. અને હવે તમે કહી રહ્યાં છો કે લોકપ્રિયતા 2019માં નહીં હારે. આ એક ગેરમાન્યતા છે જે એક બાંધી લેવામાં આવી છે.