વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રામલીલા મેદાન ખાતે એક રેલીમાં એનઆરસી માટે ડિટેન્શન સેન્ટર સ્થાપવાની વાતને અફવા ગણાવી હતી. જ્યારે આ વર્ષે જુલાઇમાં રાજ્યસભાના એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા ડિટેન્શન સેન્ટર અંગે રાજ્યોને સૂચનાઓ મોકલવામાં આવી છે.
ડિટેન્શન સેન્ટરની અફવાઓ છે PM મોદીનું નિવેદન
કોંગ્રેસે કર્યા આક્ષેપ
ટ્વીટ કરી રજૂ કર્યા પુરાવાઓ
કોંગ્રેસે મોદીના નિવેદન પર કહ્યું કે વડા પ્રધાન સમજે છે કે લોકો તેમના જૂઠ્ઠાણાની વાસ્તવિકતા જાણવા માટે ગૂગલ સર્ચ પણ કરી શકતા નથી. કોંગ્રેસે કેટલાક મીડિયા અહેવાલોને ટાંકીને ટ્વીટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેમાં ભારતમાં ડિટેન્શન સેન્ટરની વાત કરવામાં આવી છે.
અર્બન નક્સલ અફવા ફેલાવી રહ્યા છે
નોંધનીય છે કે, કોંગ્રેસ અને તેમના સાથી શહેરોમાં રહેતા અમુક ભણેલા ગણેલા અર્બન નક્સલ અફવા ફેલાવી રહ્યાં છે કે બધા જ મુસ્લિમોનોને ડિટેન્શન સેન્ટરમાં નાંખી દેવામાં આવશે. ભણેલા ગણેલા લોકો પણ ડિટેન્શન સેન્ટર વિશે પૂછી રહ્યાં છે.
એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો- જેમાં મીડિયાના લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે ડિટેન્શન સેન્ટર ક્યાં છે, પરંતુ કોઇને ખબર નથી. જાણી તો લો કે NRC છે શું ? હજુ પણ જે લોકો ભ્રમમાં છે તેમને કહીશ કે જે ડિટેન્શન સેન્ટર્સની અફવાઓ છે તે બધી નાપાક ઈરાદાઓથી ભરેલી છે. આ ખોટું છે, ખોટું છે, ખોટું છે.
ગૃહ મંત્રાલયે જાન્યુઆરી 2019માં રાજ્યોને નિયમાવલી મોકલી હતી
Does PM Modi believe Indians can't do a simple google search to fact check his lies?
જુલાઈ 2019 માં, ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું હતું કે - ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખવા, અટકાયત અને પ્રત્યાર્પણ કરવાની કેન્દ્રની સત્તાને બંધારણ હેઠળના રાજ્યોમાં તબદીલ કરવામાં આવી છે. રાષ્ટ્રીયતાની ઓળખ અને પ્રત્યાર્પણ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રીયતાની ઓળખ અને તેમને પ્રત્યાર્પિત કરવા સુધી રાજ્યોને ગેરકાયદે પ્રવાસીઓને ડિટેન્શન સેન્ટર્સમાં રાખવા જોઇએ.
જો કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્થાપવામાં આવેલા અટકાયત કેન્દ્રો અને તેમાં સ્થપાયેલ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આસામમાં બનાવાયું ડિટેન્શન સેન્ટર
રોયટર્સ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલ પ્રમાણે આસામના ગોલાપાડામાં ગેરકાયદે પ્રવાસીઓ માટે પહેલું ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તેમાં લગભગ 3 હજાર લોકોને રાખી શકાય છે. એક અન્ય રિપોર્ટ પ્રમાણે આસામમાં 6 ડિટેન્શન સેન્ટર છે અને તેમાં 900 ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવ્યા છે. 3 વર્ષ દરમિયાન અહીં રાખવામાં આવેલા પૈકી 28નું મૃત્યુ થયું છે.