મોદી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિની ઘોષણા કરી દીધી છે. હવે સોમવારે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ને લઈને એક સમ્મેલન થશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ પણ ભાગ લેવાના છે. જેમાં પીએમ મોદી પણ સંબોધન કરશે.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અને તેમાં પરિવર્તનકારી અસર પર સમ્મેલન
રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને વિશ્વવિદ્યાલયોના કુલપતિઓની સાથે પીએમ સમ્મેલનમાં હાજર રહેશે
જેમાં પીએમ મોદી પણ સંબોધન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા જાણકારી આપી હતી કે 7 સપ્ટેમ્બરે સવારે 10.30 વાગે રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અને તેમાં પરિવર્તનકારી અસર પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને વિશ્વવિદ્યાલયોના કુલપતિઓની સાથે એક સમ્મેલનમાં હાજર રહીશ. આ સમ્મેલનથી થાનારા ઉદ્ધાર ભારતના જ્ઞાનને કેન્દ્ર બનાવવાના અમારા પ્રયત્નો મજબૂત કરીશુ.’
At 10:30 AM tomorrow, 7th September, I will join a conference with Rashtrapati Ji, Governors & VCs of universities on the National Education Policy 2020 and its transformational impact. Deliberations from this conference will strengthen our efforts to make India a knowledge hub.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કોન્ફરન્સના ઉદ્ધાટન સત્રને સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષામંત્રી, વિશ્વવિદ્યાલયોના કુલપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થશે.
ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયના 21મી સદીની પહેલી શિક્ષા નીતિમાં મોટા ફેરફારની સાથે સ્કૂલ અને ઉચ્ચ શિક્ષામાં આગળ વધવા માટે મદદરુપ સાબિત થશે. પીએમઓનું કહેવું છે કે આ એક ભારત કેન્દ્રિત શિક્ષા પદ્ધતીને અમલમાં મુકતા ન્યાયસંગત અને જીવન જ્ઞાનથી ભરેલા સમાજના નિર્માણની દિશામાં પ્રયત્ન છે.