મોદી સરકારની પહેલી કેબિનેટ મળતાની સાથે જ એકબાદ એક મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારની બીજી પાળીની શરૂઆતમાં જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદોની વિધવાના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે.
શહીદોના બાળકોની શિષ્યવૃત્તિમાં વધારો
શહીદોના બાળકોની શિષ્યવૃત્તિમાં પણ રૂપિયા 500નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને રૂપિયા બે હજારની શિષ્યવૃત્તિ મળતી હતી. હવે આ વિદ્યાર્થીઓને રૂપિયા 2500ની શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓની શિષ્યવૃત્તિ રૂપિયા 2250થી વધારીને રૂપિયા 3000 કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ શહીદ પરિવારના બાળકોને દર મહિને આપવામાં આવે છે.
People first, people always.
Glad that path-breaking decisions were taken in the Cabinet, the first in this tenure. Hardworking farmers and industrious traders will benefit greatly due to these decisions.
ત્યારે શિષ્યવૃત્તિમાં વધારો કરીને જ મોદી સરકારે પોતાના કામની શુભ શરૂઆત કરી છે. નવી મોદી સરકારની સંસદનું પ્રથમ સત્ર 17 જૂનથી શરૂ થઈ શકે છે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણીનું એલાન કરવામાં આવી શકે છે. આ સત્ર 26 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે.
દેશના 15 કરોડ ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની મળશે સહાય
મોદી સરકારની પહેલી કેબિનેટ મળતાની સાથે જ એકબાદ એક મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર-2ની પ્રથમ કેબિનેટમાં ખેડૂતો, શહિદો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશના તમામ ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભ મળશે.
તમામ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે. પહેલા આ યોજના હેઠળ નાના ખેડૂતો જેમની પાસે 5 એકર જમીન અથવા તેનાથી ઓછી છે તેમને લાભ મળતો હતો. અગાઉ 12 કરોડ ખેડૂતોને લાભ મળતો હતો તે હવે 15 કરોડ ખેડૂતોને મળશે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂતોને માસિક 3000 પેન્સન આપવામાં આવશે.
વેપારીઓ માટે લેવાયો નિર્ણય
નાના વેપારીઓ માટે પેન્શન યોજના લાવવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના 5 કરોડ નાના વેપારીઓને મળશે.
મોદીએ નિર્ણય મામલે વ્યક્ત કરી ખુશી
મોદીએ કેબિનેટ બાદ ટ્વીટ કર્યું, "પીપલ ફર્સ્ટ, પીપલ ઓલવેઝ. આ કાર્યકાળમાં મંત્રીમંડળમાં સર્વપ્રથમ પથ-પ્રદર્શક નિર્ણય લેવાને લઇને હું ખુશ છું. આ નિર્ણયોને કારણે મહેનતુ ખેડૂતો અને વેપારીઓને ખુબ જ ફાયદો થશે. આ નિર્ણય કેટલાય ભારતીયોની ગરીમા અને સશક્તિકરણને વધારશે"