જીત પચાવવાની તકાતા હોવી જોઇએઃ મોદી
તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ સતત બીજી વખત તમામ બેઠકો પર જીત્યું. 2019ની ચૂંટણી ન ભાજપ લડી, ન મોદી લડ્યા, ન કોઇ બીજા નેતા. આ ચૂંટણી જનતા લડી છે. જીતને પચાવવાની તાકાત હોવી જોઇએ. આગામી 5 વર્ષ દેશ માટે મહત્વના છે.
300 બેઠક જીતવાની વાત કરતા હતા તો મજાક ઉડાવવામાં આવતી હતીઃ મોદી
ભાષણમાં પીએમએ કહ્યું, ગુજરાતના વિકાસથી સમાજમાં નવો વિશ્વાસ પેદા થયો હતો. 2019 ચૂંટણીમાં તમામ રાજકીય પંડિતો ફેઇલ થઇ ગયા. અમને પૂછવામાં આવતું હતું કેટલી બેઠકો જીતશો? 6ઠ્ઠા તબક્કાના મતદાન બાદ હું કહેતો હતો કે અમે 300 બેઠકો જીતીશું તો સૌએ અમારી મજાક ઉડાવી.
ગુજરાતની શિક્ષા આજે કામ આવી રહી છેઃ મોદી
પીએમએ કહ્યું કે 2014માં તમે લોકોએ મને વિદાઇ આપી હતી. ઘરનો દીકરો ગમે એટલો મોટો થઇ જાય, ઘરેથી જાય તો દુઃખ થાય છે. અહીંથી હું સંગઠન માટે સંઘર્ષ શિખ્યો હતો. કામ કરતા કરતા મારી જવાબદારી વધી ગઇ. ગુજરાતની ધરતીની શિક્ષા આજે કામ આવી રહી છે. 2014 પહેલા દેશ મને જાણતો ન હતો. દેશમાં હવા ફેલાઇ હતી કે ગુજરાત ઘણુ આગળ વધી ચૂક્યું છે.
લોકોનો આશીર્વાદ જ મારી શક્તિ છેઃ મોદી
પીએમએ કહ્યું કે સમય ઓછો હોવાના લઇને કાર્યક્રમ ટાળી ન શક્યો. માં ના આશિર્વાદ લેવા પણ જરૂરી છે. હું તમારા લોકોના દર્શન કરવા આવ્યો છું. તમારા આશિર્વાદ મારી શક્તિ છે. તમારા પ્રેમ માટે મારી પાસે શબ્દો નથી. મારી પૂજ્ય ધરતીને શિશ જુકાવીને નમન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો છે. સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, સુરતની ઘટના હચમચાવી નાખનાર છે. પરિવારના આશા અરમાન ભસ્મીભૂત થઇ ગયા. જેટલું દુઃખ વ્યક્ત કરીએ એટલું ઓછું છે. જેટલી સંવેદના વ્યક્ત કરીએ એટલી ઓછી છે. ગઇકાલથી હું એક દુવિધામાં હતો કાર્યકર્મમાં હાજરી આપવી કે નહીં. એક તરફ કર્તવ્ય હતું બીજી તરફ કરૂણા હતી. આ ઘટના અંગે જેટલું દુઃખ વ્યક્ત કરીએ એટલું ઓછું છે. પરિવાર પર આવેલ સંકટમાં આપણે ઇશ્વરને પ્રાર્થના કરી શકીએ. પરમાત્માએ પરિવારજનોને આ ભયંકર આઘાતમાં ટકી રહેવાની શક્તિ આપે.
વધુમાં તેમણે કહ્યું કે, આ ઘટના બાદ હું રાજ્ય સાથે સતત સંપર્કમાં હતો. રાજ્ય સરાકરે ઘટનાના સંબંધમાં અને સમગ્ર રાજ્યમાં પણ આ પ્રકારે ડિઝાસ્ટરના હોર્ડિંગ માટેની વ્યવસ્થા હાથ ધરી છે. રાજ્ય સરકારની સક્રીયતા ભવિષ્યમાં આવા સંકટોથી બચવા માટે વ્યવસ્થા જરૂર કામ આવશે.