પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય યાત્રા પર ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી પોતાના પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં અને પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપની સાથે દ્વીપક્ષીય બેઠક કરશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી 22 અને 23 ઓગસ્ટ સુધી ફ્રાન્સમાં દ્વીપક્ષીય બેઠકમાં ભાગ લેવાના છે. નરેન્દ્ર મોદી ભારતીય લોકોને પણ મળશે અને 1950 અને 1960માં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં મેમોરિયલ પણ સમર્પિત કરશે. 25 અને 26 ઑગષ્ટ સુધી પીએમ મોદી G-7 મીટિંગનો પણ ભાગ લેવાના છે.
France: Prime Minister Narendra Modi arrives at Charles de Gaulle Airport in Paris. PM Modi will hold bilateral meetings with France President Emmanuel Macron & Prime Minister Edouard Philippe on the two-day official visit pic.twitter.com/80DZV1JThD
પોતાની વિદેશ યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્રવાસથી ભારતના 3 રાષ્ટ્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો હાથમાં ત્રિરંગો લઇને પહોંચ્યા હતા.
Landed in France, marking the start of a key bilateral visit. India and France enjoy extremely friendly ties and have been working together bilaterally and multilaterally for years. This visit will add to the ground covered during previous interactions with the French leadership. pic.twitter.com/iYQJa4allB
પીએમ મોદી 23થી 24 ઑગષ્ટ સંયુક્ત અરબ અમીરાત (UAE) જશે. અહીં તેઓ અબુ ધાબીનાં ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. UAE ભારતનું ત્રીજુ સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર છે અને ચોથો સૌથી મોટું કાચા તેલનું આયાતકાર છે.
France: Prime Minister Narendra Modi welcomed by Indian community at Charles de Gaulle Airport in Paris. PM Modi is on a two-day visit to the nation pic.twitter.com/LrU11gH48Y
પ્રધાનમંત્રી મોદીને UAE માં ત્યાંના સર્વોચ્ય નાગરિક સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનની જાહેર UAEએ એપ્રિલમાં કરી હતી. અને જણાવ્યુ હતું કે મોદિને બંને દેશો વચ્ચે લાંબી મૈત્રી અને સંયુક્ત રણનીતિક સહયોગને વધારવામાં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયદ અલ નાહયાને આ સન્માનની જાહેરાત કરી હતી.