નરેન્દ્ર મોદી અને અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવ્યુ. એરપોર્ટ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહના આગમનને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસે દ્વારા ચેકિંગ સાથે બંદોબસ્તનુ રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ.. મહત્વનુ છે કે, લોકસભાની ચૂંટણીમાં જીત મળ્યા બાદ પ્રથમ વખત મોદી અને શાહ ગુજરાતમાં આવી રહ્યા છે. અમદાવાદના ખાનપુરના કાર્યાલય પર નરેન્દ્ર મોદી સભા પણ સંબોધશે. અમદાવાદ એરપોર્ટ પર સાંજે નરેન્દ્ર મોદી અને અમિત શાહનુ આગમન થશે. બન્ને નેતાઓનુ એરપોર્ટના ગુજસેલમાં સ્વાગત થશે.