દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election) માં ભારતીય જનતા પાર્ટી (BJP) ની હારની સમીક્ષામાં રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS) જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાર્ટીને ચૂંટણીમાં હંમેશા જીત ન અપાવી શકે. RSS એ અંગ્રેજી ન્યૂઝપેપર ઓર્ગેનાઇઝરમાં ભારતીય જનતા પાર્ટીની હારનું કારણ બતાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં જીત માટે સંપૂર્ણ તાકાત લગાવવા છતાં 70માંથી માત્ર 8 બેઠકો પર જીત મળી છે.
દિલ્હી વિધાનસભામાં ભાજપની હાર પર RSS એ આપી આ સલાહ
RSS એ દિલ્હી ચૂંટણીમાં ભાજપની હારની કરી સમીક્ષા
ભાજપે હવે નવી રીતે તૈયારી કરવાની જરૂરિયાત
RSS એ પોતાના મુખપત્ર 'ઓર્ગેનાઇઝર' માં લખ્યું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ હંમેશા વિધાનસભા સ્તરની ચૂંટણીમાં પાર્ટીની મદદ કરી શકે નહીં. દિલ્હીમાં સ્થાનિક લોકોની અપેક્ષાઓ પુરી કરવા માટે પાર્ટીએ નવી રીતે તૈયારીઓ કરવાની જરૂરિયાત છે. RSS ના મુખપત્રમાં છપાયેલા આર્ટિકલમાં જણાવાયું છે કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ શાહીન બાગ પ્રદર્શનો મુદ્દો ભાજપ માટે નિષ્ફળ રહ્યો.
આ મુદ્દાઓના કારણે ભાજપને થયું નુકસાન
તે સિવાય ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓના કેટલાંક નિવેદનો અને નારેબાજુ સામે આવી જેની અસર ચૂંટણી પરિણામ પર જોવા મળી. આ દરમિયાન 'દેશદ્રોહીઓને ગોળી મારવી' અને કેજરીવાલને 'આતંકવાદી' કહેવા જેવા નારા પણ લાગ્યાં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે 'ગોળી મારો' જેવા નિવેદનોથી ભાજપના નેતાઓ બચવું જોઇએ હતું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સતત બીજી વ ખત ભારતીય જનતા પાર્ટીને કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 2015માં ચૂંટણીમાં ભાજપને દિલ્હીમાં 3 બેઠક મળી હતી, જ્યારે આ વખતે માત્ર 8 સીટથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 70માંથી 62 સીટ પર જીત મળી છે.