વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાને પોતાનો એરસ્પેસનો ખોલવાથી ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાનું એરસ્પેસ નહીં ખોલે. કુરૈશીએ કહ્યું કે અમે ભારતીય હાઇ કમિશનને અવગત કર્યા છે કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમારા એરસ્પેસના ઉપયોગની મંજૂરી નહીં આપીએ.
વડાપ્રધાન 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે
પાક વિદેશ મંત્રીએ કહ્યું-પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાનું એરસ્પેસ નહીં ખોલે
પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની મનાઇ કરી હતી
પીએમ મોદીને અમેરિકી પ્રવાસ માટે પાકિસ્તાના એરસ્પેસનો ઉપયોગ કરવાનો હતો. વડાપ્રધાન 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે. આ મહીનાની શરૂઆતમાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાથી મનાઇ કરી દીધી હતી. પાકિસ્તાનના આ પગલાથી ભારતે નારાજગી દર્શાવી હતી.
Pakistan Foreign Minister Shah Mehmood Qureshi: We have conveyed to the Indian High Commission that we will not allow use of our air space for Prime Minister Narendra Modi's flight. pic.twitter.com/dfZLpg5O66
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે અમે પાકિસ્તાન સરકાર તરફથી વીવીઆઇપી વિશેષ ફ્લાઇટ માટે ઓવરફ્લાઇટ ક્લીયરેન્સથી ઇનકાર કરવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરીએ છીએ. જે કોઇપણ સામાન્ય દેશ તરફથી આપવામાં આવે છે.