દીકરા ચેતનસિંહે આજે સવારે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી
નરેન્દ્ર બરાગટા 1998માં શિમલામાંથી વિધાનસભા માટે ચૂંટાયા હતા
ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નરેન્દ્ર બરાગટાનું હોસ્પિટલમાં નિધન
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાના મુખ્ય અગ્રણી અને ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નરેન્દ્ર બરાગટાનું આજે સવારે પોસ્ટ કોવિડની ગંભીરતા બાદ ચંડીગઢ હોસ્પિટલમાં નિધન થયું છે.નરેન્દ્ર બરાગટાના દીકરા ચેતનસિંહે આજે સવારે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે "મારા પિતા અને પૂર્વમંત્રી અને હિમાચલ પ્રદેશ સરકારના મુખ્ય અગ્રણી તેમની જિંદગીની લડાઈ હારી ગયા." હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેમની સ્વાસ્થ્યની જાણકારી લેવા માટે શુક્રવારે સાંજે હોસ્પિટલમાં ગયા હતા. તેમણે આ સમાચાર સાંભળતા જ ખૂબ જ દુખની લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું કે હિમાચલ પ્રદેશને ઘણું મોટું નુકશાન થયું છે.
નરેન્દ્ર બરાગટા 1998માં શિમલામાંથી વિધાનસભા માટે ચૂંટાયા હતા
નરેન્દ્ર બરાગટા 1998માં શિમલામાંથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. ડિસેમ્બર 2007માં તેઓ જુબ્બલ કોટખાઈથી જીત્યા. 1998 થી 2002 સુધી તેઓ રાજ્ય મંત્રી તરીકે રહ્યા અને 2007 થી 2012 સુધી તેઓ શિક્ષણ અને સ્વાસ્થય મંત્રી તરીકે સેવા આપતા રહ્યા. હિમાચલ પ્રદેશની 13 મી વિધાનસભા 2017ની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા.
The Chief Whip in Himachal Pradesh Assembly and senior BJP MLA Narinder Bragta died at a hospital in Chandigarh, this morning. He had recently recovered from Covid-19 and was undergoing treatment for post covid complications: (His son) Chetan Singh Bragta confirmed on Facebook pic.twitter.com/HcSRH2Zweq
તેમના દીકરા ચેતને આપી આ માહિતી
ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર બરાગટાના દીકરા ચેતને આ માહિતી આપતા પોસ્ટમાં લખ્યું કે "મારા પિતા અને પૂર્વમંત્રી અને હિમાચલ પ્રદેશ સરકારના મુખ્ય અગ્રણી તેમની જિંદગીની લડાઈ હારી ગયા, તેઓ આ બીમારી સામે ખૂબ જ લડ્યા. અમારો આખો પરિવાર, તેમના બધા જ સમર્થકો અને કાર્યકર્તાઓને ખૂબ જ દુખ સાથે જણાવું છું કે મારા પિતા શ્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા. હું બધા જ લોકો ધીરજ અને શાંતિ રાખે. હું મારા જીવનની સૌથી દુખી ક્ષણ આપ સૌને કહી રહ્યો છું.