સુરતમાં સેશન્સ કોર્ટે મંગળવારે દુષ્કર્મ મામલે દોષિત આસારામના પુત્ર નારાયણ સાંઇને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
આજીવન કેદની સજા આપવા પર નારાયણ સાંઇની પત્ની ઉર્ફ શિલ્પી હરપલાનીએ ખુશી વ્યક્ત કરી છે. નારાયણની પત્નીએ કહ્યું, 'મે આજે સાંભળ્યું કે નારાયણ સાંઇને સુરત કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. હું ખુશ છું. નારાયણને પોતાના કર્મોની આનાથી ઓછી સજા તો થવી જોઇતી પણ નહતી.'
જાનકી કહ્યું કે નારાયણને એક નાજાયજ બાળક પણ છે. સુરત કેસના મામલે કોર્ટે મને પણ નિવેદન માટે બોલાવી હતી. મારી ઘણી વખત ડિવોર્સ લેવા હતા પરંતુ મારા પરિવારને કંઇ પણ કરવાના નામથી ધમકી આપવામાં આવતી. કોર્ટે નારાણયણને 50 હજાર રૂપિયા મહિનાનું ભરણ પોષણ આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ એક વર્ષથી મને કંઇ મળ્યું નથી. મે એના માટે પણ અપીલ કરી. નારાયણ અને આસારામે એ શિષ્યાઓ સાથે વિશ્વાસઘાત કર્યો, જે એમને ગુરુ અને પિતા માનતી હતી.
જણાવી દઇએ કે કોર્ટે સુરતમાં રહેનારી બે બહેનોની સાથે દુષ્કર્મના આરોપમાં નારાયણ સાંઇને દોષિત કરાર આપ્યો હતો. આ મામલે કોર્ટે દોષિતને સજા આપવા મંગળવારનો દિવસ નક્કી કર્યો હતો. આ કેસ આશરે 11 વર્ષ જૂનો છે. સુરતમાં રહેનારી બે બહેનોએ એમને અને એના પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. એખ બહેને સાંઇ પર 2002 અને 2005ની વચ્ચે સુરતના આશ્રમમાં રહેવા પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પીડિતાની બહેને અમદાવાદ 1997 અને 2006માં આશ્રમમાં રહેતા દરમિયાન આસારામ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બંને બહેનોએ સાંઇ અને આસારામ વિરુદ્ધ કથિત શોષણની અલગ અલગ ફરીયાદ દાખલ કરી હતી.