શિવસેના સાથે રસાકસીમાં ફસાયેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ શુક્રવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની શિવસેનાના નેતાને ખુલ્લા પાડવાની ધમકી આપી હતી.
નારાયણ રાણેની ઉદ્ગવને ધમકી
રાણે કરી શકે છે શિવસેનાને એક્સપોઝ
રાણેએ કહ્યું દરેકના રહસ્યો જાણું છું
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ શુક્રવારે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાને પરોક્ષ રીતે ચેતવણી આપતા કહ્યું કે તેઓ પાર્ટી અને તેના નેતાઓને વિશે ઘણું જાણે છે અને એક પછી એક દરેક વાત સામે લાવશે. રાણેએ કોઈનું નામ લીધા વિના કહ્યું કે તેઓ જાણે છે કે ભાઈની પત્ની પર કોણે એસિડ નાખવાનું કહ્યું હતું. રાણે પોતાની જન આર્શીવાદ યાત્રાના આધારે રત્નાગિરિ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રાણેએ આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વિરોધમાં ટિપ્પણી કરી હતી જેનાથી વિવાદ સર્જાયો છે. આર્શીવાદ યાત્રાના આધારે રત્નાગિરિ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રાણેએ આ અઠવાડિયાની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના વિરોધમાં ટિપ્પણી કરી હતી. તેનાથી વિવાદ થયો હતો અને તેના કારણે રાણેને કસ્ટડીમાં લેવાયા હતા અને થોડા કલાક બાદ તેમને છોડી દેવાયા હતા. આ ઘટનાને લઈને શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી.
શિવસેના પર ભડક્યા રાણે
રાણેએ શુક્રવારે કહ્યું કે મેં તેમની સાથે 39 વર્ષ સુધી કામ કર્યું છે. હું ઘણી બાબતો જાણું છું, મને ખબર છે કે કોણે ભાઈની પત્ની પર કોણે એસિડ નાખવાનું કહ્યું હતું, આ કયા પ્રકારના સંસ્કાર છે. એક કેન્દ્રીય મંત્રીને એરેસ્ટ કરીને કોઈને શું મળ્યું. હું એક પછી એક દરેક વાત સામે લાવીશ.
શિવસેનાના કાર્યકર્તાએ રાણેને આપી ધમકી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નારાયણ રાણેએ કહ્યું કે શિવસેનાના એક કાર્યકર્તા વરુણ સરદેસાઈ, મને મુંબઈના ઘરની બહાર મળ્યા અને મને ધમકી આપી હતી. જો તે ફરીવાર આવે છે તો તે પરત નહીં ફરી શકે. ઉલ્લેખનીય છે કે વરુણ સરદેસાઈ શિવસેનાની યૂથ વિંગ યુવા સેનાના નેતા છે. ઉલ્લેખનીય છે કે યુવા સેનાના કાર્યકર્તાઓએ રાણેની ટિપ્પણીને લઈને મંગળવારે મુંબઈમાં રાણેના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
રાણેએ શિવસેનાથી કરી હતી રાજનીતિની શરૂઆત
હાલમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ પોતાના રાજકીય જીવનની શરૂઆત શિવસેના કાર્યકર્તાના રૂપમાં કરી હતી અને 1999માં તે રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે 2005માં તેઓને પાર્ટી વિરોધી ગતિવિધિને લઈને પાર્ટીથી નિષ્કાસિત કરી દેવાયા હતા. આ પછી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા અને 2017 સુધી કામ કર્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. હાલમાં થયેલા મંત્રીમંડળના ફેરબદલમાં તેમને પણ સામેલ કરાયા અને હાલમાં તેઓ ભારત સરકારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રીનો ભાર સંભાળી રહ્યા છે.