મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાના પોઝિટિવ વધતા કેસને રોકવામાં નિષ્ફળતાને લઇને ઉદ્ધવ સરકાર સામે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યાં છે. રાજ્યના પૂર્વ સીએમ અને ભાજપના નેતા નારાયણ રાણેએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે તેમના નિવાસ સ્થાન પર મુલાકાત કરી હતી. આ દરમિયાન રાણેએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાની માંગ કરી હતી. રાણેએ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસને રોકવામાં તદ્દન નિષ્ફળ ગઇ છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણાએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કરી માંગ
કોરોના સંકટ પર યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો લગાવ્યો આરોપ
મહારાષ્ટ્રના પૂર્વ CM નારાયણ રાણેએ ઠાકરે સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવામાં નિષ્ફળ ગઇ છે. આ સરકાર પાસે ક્ષમતા નથી. જેને લઇને સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઇએ.
નારાણય રાણેએ કહ્યું કે સરકાર લોકોના જીવ બચાવવામાં સક્ષમ નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ચલાવવામાં સક્ષમ નથી. નારાયણ રાણેએ આરોપ લગાવ્યો કે કોરોનાના કારણે રાજ્યમાં ઘેરુ સંકટ ઉભુ થઇ ગયું છે.
Former Maharashtra CM and BJP leader Narayan Rane met
Governor Bhagat Singh Koshyari today and demanded that President's Rule be imposed in the state. pic.twitter.com/3Ava55SMbh
ભાજપના નેતા રાણેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને સ્થિતિ અતિગંભીર છે. રાજ્યમાં દર્દીઓનો તેમજ મોતનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યપાલે આ મામલાને ગંભીરતાથી લેવો જોઇએ અને મહારાષ્ટ્ર-મુંબઇમાં મોતને રોકવો જોઇએ. આ સંબંધમાં પ્રયાસ કરવો જોઇએ. નગર નિગમ અને રાજ્ય સરકારી હોસ્પિટલની સ્થિતિ ખરાબ છે. હોસ્પિટલમાં જગ્યા ન હોવાના કારણે પ્રવેશ ન મળવાથી ઘણા દર્દીઓનાં મોત થયા છે.
સેનાને સરકારી હોસ્પિટલની આપવી જોઇએ જવાબદારી
નારાયણ રાણેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન તાકતા કહ્યું કે કોરોના સામેની લડાઇમાં સરકાર વિફળ રહી છે, રાજ્યમાં કોરોનાને લઇને મોતના આંકડા જોતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઇએ. જો કે રાજ્યપાલે આ સરકાર પર વિચાર કરવો જોઇએ અને આરોગ્ય સેવાના સંદર્ભમાં તેમા સેવા પ્રદાન કરવાના સંદર્ભમાં નિર્દેશ આપવો જોઇએ કે નગરપાલિકા અને રાજ્યની સરકારી હોસ્પિટલોને સેનાને સોંપી દેવામાં આવે તો સ્થિતિમાં સુધારો થઇ શકે છે.
મહારાષ્ટ્ર ભાજપે પણ નિશાન તાક્યું
મહારાષ્ટ્ર કોરોનાને લઇને દેશનું સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયુ છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં 50,000થી વધારે દર્દીઓ નોંધાયા છે. કોરોનાના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં રાજ્યની પ્રમુખ વિપક્ષ પાર્ટીએ રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર પર હલ્લાબોલ કર્યું છે.