છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગણી કરી છે
ભૂપેશ બઘેલના પિતાએ ઇચ્છામૃત્યુની કરી માગ
રાષ્ટ્રપતિને પત્ર લખીને કરી માગ
'બેલેટ પેપરથી ચૂંટણી કરાવો EVMથી નહી'
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. મુખ્યમંત્રીના પિતા નંદકુમારે રાષ્ટ્રીય મતદાતા જાગૃત મંચના લેટર પેડ પર રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. તેણે ઈચ્છામૃત્યુ પાછળ રાજકીય કારણો આપ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી જણાવ્યુ છે કે ઈચ્છામૃત્યુ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. મહત્વનુ છે કે નંદ કુમાર બઘેલ રાષ્ટ્રીય મતદાતા જાગૃત મંચના પ્રમુખ છે.
શું લખ્યુ પત્રમાં ?
પત્રમાં નંદકુમાર બઘેલે લખ્યું છે કે - ખૂબ જ દુઃખ સાથે તમને જણાવવાનું છે કે નાગરિકોના તમામ બંધારણીય અધિકારોનું મોટા પાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે. લોકશાહીના ત્રણ સ્તંભો, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનો નાશ થઈ રહ્યો છે. નાગરિકોના અધિકારોની વાત સાંભળનાર કોઈ નથી. મતદારો તેમની દરેક સમસ્યા માટે જનપ્રતિનિધિઓ પસંદ કરે છે, તેમનો અવાજ પણ સતત દબાઈ રહ્યો છે. વિધાનસભા દેશના તમામ સરકારી વિભાગો અને ઉપક્રમોને પ્રિયજનોને વેચી રહી છે. એક્ઝિક્યુટિવ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે અને તેના આવનારા બાળકો માટે વધુને વધુ પૈસા એકઠા કરીને ભવિષ્યને સુરક્ષિત કરવામાં વ્યસ્ત છે.
બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગ
નંદકુમાર બઘેલે પત્રમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યુ કે લોકશાહીનો સૌથી મોટો અધિકાર મતદાન છે અને મતદાન ઇવીએમ મશીન દ્વારા કરવામાં આવી રહ્યુછે . પરંતુ ઇવીએમ મશીનને કંઇ રાષ્ષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા સરકાર દ્વારા 100% કાર્યકારી ચોકસાઈનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી.કોઇ પણ મશીનના વપરાશ પહેલા મશીન સાચી કામગીરી કરી રહ્યુ છે કે નહી તે સરકાર કે અન્ય કોઇ સંસ્થા પાસેથી તેની ચોકસાઇનુ પ્રમાણપત્ર અવશ્ય લેવુ જોઇએ.
ઈચ્છામૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી
સીએમના પિતા નંદકુમાર બઘેલે પત્રમાં લખ્યું- આવા સંજોગોમાં જ્યારે મારા તમામ અધિકારોનું હનન થઈ રહ્યું છે ત્યારે મારો જીવવાનો હેતુ ખોવાઈ રહ્યો છે. માનનીય રાષ્ટ્રપતિ, તમે બંધારણની રક્ષા માટે શપથ લીધા છે. પરંતુ મારા બંધારણીય અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું નથી. જેના કારણે મારી પાસે ઈચ્છામૃત્યુ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જેથી માનનીય સાહેબને વિનંતી છે કે દેશમાં ઈવીએમની જગ્યાએ પારદર્શક રીતે, લોકો દ્વારા, લોકો માટે, મતપત્રો અને મતપેટીઓ સાથે મતદાન કરાવવાનો આદેશ કરવામાં આવે. ઈવીએમ દ્વારા સરકાર મતદાન કરાવીને સરકારી મિલકતો વેચવાનું અને દેશમાં ગરીબી અને બેરોજગારી વધારવાનું પાપ સરકાર કરી રહી છે. હું એ પાપમાં સહભાગી બનવા માંગતો નથી. દેશનું બંધારણ અને લોકશાહી બંને જોખમમાં છે. જો ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર અને બેલેટ બોક્સ વડે મતદાન કરવું શક્ય ન હોય, તો કૃપા કરીને મને 25 જાન્યુઆરી, 2022ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ઈચ્છામૃત્યુની મંજૂરી આપો.