બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. મુંબઈ પોલીસ આપઘાત કેસમાં તપાસ કરી રહી છે ત્યારે હજુ પણ કેટલાક નેતા અને અભિનેતા સુશાંત સિંહના નિવાસસ્થાને પહોંચીને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
સુશાંત સિંહ રાજપૂતના નિવાસસ્થાને પહોંચ્યા નાના પાટેકર
પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ ચાલુ
સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદથી બોલિવૂડને ખૂબ ધ્રાસકો પડ્યો છે. તેમની મોત બાદથી નેતા અને અભિનેતા સુશાંતનાં ઘરે પહોંચી રહ્યા છે. હવે બોલિવૂડના દિગ્ગજ કલાકાર નાના પાટેકર પણ સુશાંત સિંહના ઘરે પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. નાના પાટેકરે સુશાંતના પરિવાર સાથે મળીને દુઃખ વ્યક્ત કર્યું.
શનિવારે સુશાંત સિંહનું તેરમુ હતુ, નાના પાટેકર બિહારના મોકામાના CRPF ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યા હતા જે બાદ તે રાજીવ નગરમાં સુશાંત સિંહના નિવાસસ્થાન પર જઈ પરિવારજનોથી મુલાકાત કરી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 28, 2020
સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ પાછલા દિવસોમાં ભાજપ નેતા મનોજ તિવારી, બિહારનાં નેતા તેજસ્વી યાદવ, ભોજપુરી કલાકાર ખેસારી લાલ યાદવે પણ નિવાસસ્થાન પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. બિહારનાં ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પણ પરિવારને સાંત્વના આપી હતી.
શું છે સમગ્ર મામલો
નોંધનીય છે કે 14મી જૂને પોપ્યુલર એકટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના ઘરે જ આપઘાત કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તે માનસિક તણાવથી પીડાઈ રહ્યા હતા અને સારવાર ચાલી રહી હતી. મુંબઈ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે અને લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.