બાબરી કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અયોધ્યામાં નિર્માણ માટે વિચારાધીન સૂચિત મસ્જિદનું નામ મૌલવી અહમદુલ્લાહ શાહના નામે હોઈ શકે છે.
અયોધ્યામાં બનવા જઈ રહી છે નવી મસ્જિદ
મૌલવી અહમદુલ્લાહ શાહના નામે બની શકે છે મસ્જિદ
1857ના સંગ્રામમાં શાહ સ્વાતંત્ર્ય સેનાની હતા
અયોધ્યામાં રામ મંદિર જેમ નિર્માણ પામી રહ્યું છે તેમ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયને ફાળવેલી જમીન પર પણ એક મસ્જિદ બનાવવા માટેનું વિચારાધીન છે,આ મસ્જિદનું નામ જો કે બાબરીના નામ પરથી નહીં પરંતુ મૌલવી અહમદુલ્લાહ શાહના નામે હોય શકે છે, જેમણે બ્રિટિશરો સામે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો આપ્યો હતો.
મસ્જિદ નિર્માણ માટે ચર્ચાઇ રહ્યા છે નામો
મસ્જિદના નિર્માણની દેખરેખ માટે સુન્ની વકફ બોર્ડ દ્વારા સ્થાપિત ન્યાસ ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સેક્રેટરી અતહર હુસેને જણાવ્યું હતું કે બ્રિટિશરોની સામે અવધ પ્રાંતમાં 'વિદ્રોહનું બ્યૂગલ ફૂંકવા વાળા મૌલવી અહમદુલ્લાહ શાહની પાછાળ મસ્જિદનું નામ રાખવાની ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.
આ મુદ્દે ન્યાસની રચના થયા બાદ ચર્ચા થઈ હતી કે બાબરી મસ્જિદનું નામ મુસ્લિમ શાસક બાબરના નામ પરથી રાખવામાં આવશે કે પછી કોઈ બીજા નામ પર વિચારણા કરવામાં આવશે. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ અયોધ્યામાં નિર્માણ પામનાર મસ્જિદના પ્રોજેક્ટને સાંપ્રદાયિક ભાઈચારો અને દેશભક્તિના સંકેત તરીકે રજૂ કરવા માટે મૌલવી અહમદુલ્લાહ શાહને આ પ્રોજેક્ટ સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. તે ઇસ્લામના સાચા અનુયાયી પણ હતા.
ચર્ચા પછી કરીશું આધિકારિક જાહેરાત
હુસેને વધુમાં કહ્યું, આ ન્યાસ હાલમાં સ્વાતંત્ર્ય સેનાની મૌલવી અહમદુલ્લાહ શાહને અયોધ્યા મસ્જિદ પ્રોજેક્ટ સમર્પિત કરવાની દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. અમને આ અંગે વિવિધ મંચમાંથી સૂચનો મળ્યા છે. આ એક સારું સૂચન છે. ચર્ચા પછી અમે આ મામલે આધિકારિક ઘોષણા કરીશું.
શાહ 5 જૂન, 1858 ના રોજ શહીદ થઈ ગયા હતા. જ્યોર્જ બ્રુસ માલેસન અને થોમસ સિયટન જેવા બ્રિટીશ અધિકારીઓએ તેમની હિંમત, બહાદુરી અને તેની સંગઠનાત્મક કૌશલનું વર્ણન કર્યું છે. ભારતના 1857 ના યુદ્ધ પર આધારિત 'હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન મ્યુટિની' પુસ્તકમાં, માલેસને શાહનો અનેક વખત ઉલ્લેખ કર્યો છે. શાહે અવધ પ્રદેશમાં સંઘર્ષ શરૂ કર્યો હતો અને સ્થાનિક મસ્જિદની મસ્જિદ સારાને ફૈઝાબાદના ચોક વિસ્તારમાં મુખ્ય મથક બનાવીને