ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આગામી લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં રાજીવ સાતવે આગામી લોકસભા ચૂંટણીને લઇને એક મોટુ નિવેદન આપ્યું છે.
રાજીવ સાતવે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે. રાજીવ સાતવે કહ્યું કે રાજ્યની 26 બેઠકોને લઇને ઉમેદવારો નામ નક્કી થઇ ગયા છે. આ નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
આ નામોની યાદીને લઇને ગુજરાતની જનતા સહકાર આપશે. એનસીપી સાથે રાજ્યમાં ગઠબંધનને લઇને રાજીવે સાતવે નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું કે કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે.
રાજીવ સાતવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી કે ગુજરાતમાં ભાજપના નેતાઓને હાર દેખાઈ રહી છે જેના કારણે તેઓ આ પ્રકારના નિવેદન આપે છે.
ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસની કવાયત શરૂ થઇ ગઇ છે. બંને પક્ષના પ્રભારીઓ હાલમાં ગુજરાતની મુલાકાતે છે.
લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જેને પગલે ભાજપ અને કોંગ્રેસના પ્રભારીઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ભાજપ-કોંગ્રેસ પક્ષના પ્રભારીઓ સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરશે.
આ તરફ ભાજપ પ્રભારી ઓમ માથુર કમલમમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે. ભાજપના પ્રભારી ઓમ માથુર બપોર બાદ ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરશે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સ્થાનિક કોંગ્રેસી નેતાઓને મળશે.