દરેક માણસનું નામ તેની ઓળખ હોય છે અને માણસના નામનો પ્રભાવ તેનુ વ્યક્તિત્વ, સ્વભાવ અને ભવિષ્ય પર જોઇ શકાય છે. આજે આપણે એવા લોકો વિશે જાણીશુ, જેના પર બૃહસ્પતિ દેવની અપાર કૃપા હોય છે. આવા લોકોનુ જીવન સુખ-સુવિધાઓથી ભરપૂર હોય છે.
આ અક્ષરના નામવાળા જાતકો પર દેવગુરૂ બૃહસ્પતિની હોય છે અપાર કૃપા
જીવનમાં ખૂબ કમાય છે પૈસા અને પ્રતિષ્ઠા
આ નામવાળા જાતકો ખૂબ લાગણીશીલ અને સેન્સિટીવ હોય છે
આ રાશિના જાતકો પર દેવગુરૂ બૃહસ્પતિની હોય છે વિશેષ કૃપા
તો કોઈ જાતકની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ મજબૂત હોય છે તો તેના જીવનમાં ખૂબ પૈસા આવે છે. આ સાથે તે માણસ સમૃદ્ધશાળી બને છે. નામશાસ્ત્ર મુજબ જે જાતકોના નામની શરૂઆત યે, યો, ભા, ભી, ભૂ, ધ, ફા, ઢા, ભે, દી, દૂ, થ, ઝ, દે, દો, ચા, ચી વગેરેથી થાય છે, તેઓ જીવનમાં દરેક સુખ-સુવિધા મેળવે છે. દેવગુરૂ બૃહસ્પતિ દેવ આવા લોકો પર મહેરબાન હોય છે. જો તમારું નામ રાશિ અનુસાર રાખવામાં આવ્યું છે અને આમાંથી જ કોઈ અક્ષરથી છે, તો તમે ખૂબ ભાગ્યશાળી છો. આ અક્ષરવાળા જાતકોની રાશિ ધન અથવા મીન હોય છે. જેના પર દેવગુરૂ બૃહસ્પતિ દેવનો હાથ હંમેશા રહે છે.
પ્રશંસનીય હોય છે સ્વભાવ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નામના જાતકો ખૂબ લાગણીશીલ અને સેન્સિટીવ હોય છે. નાની-નાની વાતો તેને જલ્દી ફીલ થાય છે. પોતાના માણસની ખાસ કરે કરે છે. તેઓ રંગીન મિજાજના હોય છે. તેમને ખુશ રહેવુ પસંદ હોય છે. આ સાથે તેઓ આજુબાજુના લોકોને પણ ખૂબ ખુશ રાખે છે. પરંતુ પોતાનુ જીવન પોતાની રીતે જીવવાનુ પસંદ કરે છે. તેમનો સ્વભાવ પ્રશંસનીય હોય છે. સ્વભાવે શાંત અને ક્રિએટીવ હોય છે. દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન રહે છે. કારકિર્દી અને સામાજિક જીવનમાં ખૂબ નામ કમાય છે.