જ્યોતિષ શાસ્ત્રની જેમ નામ શાસ્ત્ર પણ માણસના ભવિષ્ય અને સ્વભાવ અંગે જાણકારી આપે છે. આજે અમે એવા નામો અંગે જણાવીશું, જેના પર કુબેર દેવની કૃપા રહે છે. ધનના દેવતા કુબેર ધનની તિજોરીને હંમેશા ભરીને રાખે છે.
નામના પહેલા અક્ષર દ્વારા માણસનુ ભવિષ્ય અને સ્વભાવ જાણવા મળે છે
આ નામવાળા માણસો પર કુબેર દેવની વિશેષ કૃપા રહે છે
તમારા નામનો સમાવેશ કયા થાય છે?
નામના પહેલા અક્ષરથી જાણો માણસનો સ્વભાવ
કોઈ પણ માણસના ભવિશ્ય અને તેના વ્યક્તિત્વ અંગેે જાણવા માટે તેની રાશિ અંગે જાણવામાં આવે છે. એ જ રીતે નામના પહેલા અક્ષરના આધારે માણસ અંગે ઘણુ કહી શકાય છે. દરેક માણસની પર્સનાલિટી, પસંદ-નાપસંદ એકબીજાથી અલગ હોય છે. આજે અમે આવા કેટલાક અક્ષરો અંગે જણાવીશું. જેના પર ધનના દેવતા કુબેર દેવની વિશેષ કૃપા રહે છે.
A અક્ષરવાળા નામ
આ અક્ષરથી શરૂ થતા નામના લોકો મહેનતુ અને પ્રામાણિક હોય છે. આ લોકો જીવનમાં અચાનક પ્રગતિ મેળવે છે અને અમીર બની જાય છે. કુબેર દેવ આ જાતકો પર વિશેષ રીતે મહેરબાન રહે છે. જીવનમાં કઈ પણ મેળવવા માટે ખૂબ મહેનત કરેે છે. જીવનમાં દરેક સુખ અને સમૃદ્ધી મેળવે છે.
R અક્ષરવાળા નામ
આ અક્ષરના નામવાળા લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. કુબેર દેવની કૃપાથી જીવનમાં દરેક સુખ-સુવિધાઓ મેળવે છે. R નામવાળા પાસે જમીન-સંપત્તિની કમી હોતી નથી. તેઓ મહેનતુ હોય છે અને પોતાની મહેનતની ક્ષમતાના કારણે ખૂબ રૂપિયા કમાય છે.
S અક્ષરવાળા નામ
નામ શાસ્ત્ર મુજબ S નામવાળા લોકો જીવનમાં આવતા દરેક પડકારોનો સામનો કરે છે. આ જાતકો પ્રામાણિકક અને બુદ્ધીશાળી હોય છે. તેઓ પોતાની બુદ્ધી ક્ષમતાના કારણે જીવનમાં ખૂબ સફળતા મેળવે છે અને ખૂબ નાણા કમાય છે. પોતાની મહેનતના કારણે જીવનમાં ઊંચો મુકાામ પ્રાપ્ત કરે છે. પૈસાના મામલે લકી હોય છે. એટલું જ નહીં, નાણાની બચત કરવી સારી રીતે આવડતી હોય છે.