અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સહપરિવાર સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતની પ્રથમવાર મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પ ભારત આગમન પહેલા જે પ્રકારે વેપાર કરારને લઈને નિવેદનો આપી રહ્યા છે તેણે દેશમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પ હવે `અમેરિકા ફર્સ્ટ'ની વાત કરી રહ્યા છે. શું કહ્યું ટ્રમ્પે અને કેવી નીતિ છે ટ્રમ્પની જોઈએ આ અહેવાલમાં
અમેરિકા ફર્સ્ટ' નીતિ શું છે?, શું એ પ્રમાણે જ થશે વાત?
એ નીતિના છે બે આધાર, વ્યહારિક અને વૈચારિક આધાર
તે વૈશ્વિક બોજ ઉઠાવવા નથી માગતું, પીએમ મોદી બનશે ટફ નિગોશિયેટર?
`અમેરિકા ફર્સ્ટ' નીતિ `ભારત'ને કેટલી અસર કરશે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ સહપરિવાર સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતની પ્રથમવાર મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પ ભારત આગમન પહેલા જે પ્રકારે વેપાર કરારને લઈને નિવેદનો આપી રહ્યા છે તેણે દેશમાં ચર્ચા જગાવી છે. ટ્રમ્પ હવે `અમેરિકા ફર્સ્ટ'ની વાત કરી રહ્યા છે. શું કહ્યું ટ્રમ્પ અને કેવી નીતિ છે ટ્રમ્પની જોઈએ આ અહેવાલમાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 24 ફેબ્રુઆરીએ સહપરિવાર સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતની પ્રથમવાર મુલાકાત લઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ભારતપ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતથી કરશે આથી ટ્રમ્પના અભૂતપૂર્વ સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમને ભવ્ય ઠાઠમાઠ સાથે શણગારવામાં આવી રહ્યું છે.
દેશમાં ટ્રમ્પના સ્વાગતમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો
પરંતુ એક તરફ દેશમાં ટ્રમ્પના સ્વાગતમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક એવા નિવેદનો કરી રહ્યા છે જેના કારણે દેશના લોકો અને ખુદ સરકાર મુંઝવણ અનુભવી રહી છે. ત્રણ દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રપે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કોલોરાડોમાં એક રેલી દરમિયાન એક નિવેદન આપતાં કહ્યું હતું કે, `હું મોદીને પસંદ કરું છું , પરંતુ હમણા ટ્રેડ ડિલ કરવા માગતો નથી. કેમ કે, ભારતે અમારી સાથે સારો વ્યવહાર કર્યો નથી આથી આ મુલાકામાં ટ્રેડ ડિલ પર હસ્તાક્ષર કરવા શકય નથી.''
હંમેશા અમેરિકા ફર્સ્ટ
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી અનેક ભારતીયોએ નારાજગી અનુભવી હતી. ત્યારે હવે ફરી એકવાર ભારતઆગમન પહેલા બન્ને દેશો વચ્ચે વેપારને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકાના લાસ વેગાસમાં એક કાર્યક્રમમાં નિવેદન આપતાં કહ્યું કે, ` અમે ત્યારે જ સમજૂતી કરી શકીશું જ્યારે કોઈ પણ ડીલ અમેરિકાની નીતિ પ્રમાણે થાય અને અમેરિકાના હિતમાં થાય. કેમકે અમે હંમેશા `ફર્સ્ટ અમેરિકા' નીતિને આગળ રાખીને ચાલી રહ્યા છીએ. અમે જોઈશું આગળ શું થાય છે''
ભારતમાં અમેરિકી સામાન પર ઊંચી ડયૂટી લગાવવામાં આવે
આપને જણાવી દઈએ કે અમેરિકા ભારતથી ઘણી બધી રીતે નારાજ છે. ટ્રમ્પનું માનવું છે કે ભારતમાં અમેરિકી સામાન પર ઊંચી ડયૂટી લગાવવામાં આવે છે. જેના કારણે અમેરિકાના વ્યાપારિક હિતોને નુકસાન થાય છે. એટલા માટે જ અમેરિકાના પ્રેસિડેન્ટ ભારત આવતા પહેલા આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. આપને સવાલ થતો હશે કે આ ફર્સ્ટ અમેરિકા નીતિ એટલે શું અને તેનાથી ભારતને શું હાનિ થઈ શકે છે? આપણે આ સવાલનો જવાબ મેળવતા પહેલા ભારત અને અમેરિકાના વ્યાપારી સંબંધો પર એક નજર કરી લઈએ
ભારત-અમેરિકા વ્યાપારી સંબંધો
ભારતના બજાર માટે અમેરિકા સાથે વેપાર કરારનું મોટું મહત્ત્વ છે
2018માં ભારત માટે અમેરિકા સૌથી મોટું નિકાસબજાર રહ્યું
ભારતની કુલ નિકાસમાં અમેરિકાની ભાગીદારી 16 % છે
ભારત માલ અને સેવાના વેપાર મામલે અમેરિકાનો 8મો સૌથી મોટો ભાગીદાર દેશ છે
તો ભારત પણ અમેરિકાનો 12મા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ છે
આ વર્ષે ભારતમાં અમેરિકી માલની નિકાસ 33.5 બિલિયન ડોલર રહી
આ નિકાસ 2017ની સરખાણીએ 30.6 % વધારે રહી
ભારત 2018માં અમેરિકી માલનો 10મો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે
આપને થશે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી તે `અમેરિકા ફર્સ્ટ'ની નીતિથી ભારતને વ્યાપારમાં કેટલું સહન કરવું પડે ? અને આ અમેરિકા ફર્સ્ટનીતિનો આધાર શું છે? તો આવો એ સમજવા પ્રયાસ કરીએ.
`ફર્સ્ટ અમેરિકા' નીતિ એટલે શું?
ટ્રમ્પની `ફર્સ્ટ અમેરિકા' નીતિના બે આધાર છે . `ફર્સ્ટ અમેરિકા' નીતિના બે આધાર છે વ્યવહારિક અને વૈચારિક આ છે. ટ્રમ્પનું માનવું છે કે, વૈશ્વિક ભાગીદારીમાં અમેરિકાએ મેળવ્યું તે કરતાં વધારે ખોયું છે. અમેરિકા માને છે કે હવે અમેરિકાએ નૈતિક જવાબદારીનો બોર્ડ ઉઠાવવાની જરૂર નથી. ટ્રમ્પનું માનવું છે કે ઈસાઈ સભ્યતાના અસ્તિત્વ પર વૈશ્વિક સંકટ છે. તેના સંકટનું કારણ ઈસ્લામનો કટ્ટરવાદ છે. અમેરિકા ઈસ્લામવાદ સામે દુનિયાના દેશોને સંગઠિત થઈ યુદ્ધ કરવાનું કહે છે. અમેરિકા પોતાની વૈચારિક નીતિ માટે ભારતનો સહયોગ માગે છે.
ભારતની વિદેશનીતિ સ્પષ્ટ છે
આતંકવાદ મુદ્દે અમેરિકાને ભારતનો સહકાર છે પરંતુ. ભારતની વિદેશનીતિ સ્પષ્ટ છે. ભારત સમગ્ર ઈસ્લામ સામે યુદ્ધમાં ઉતરવા માગતો નથી. ખ્રિસ્તને પ્રોત્સાહન આપવા મુદ્દે ભારત પક્ષ ઉત્સાહિત નથી. NGOને મળતા ગેરકાયદેર દાન અંગે ભારતની પહેલીથી ચિંતા છે. આથી અમેરિકાની ફર્સ્ટનીતિ સાથે ભારતની નીતિનો ટકરાવ થાય તે સ્વાભાવિક છે.
શક્ય છે કે ટ્રમ્પ ભારત સાથે કોઈપણ પ્રકારનો વેપારી કરાર કરે તેમાં તે અમેરિકાના હિતનું પ્રથમ ધ્યાન રાખશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે પીએમ મોદીએ ફરી એકવાર ટફ નિગોશિયેટરની ભૂમિકા ભજવવી પડશે.