રોડ શો માટે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ આ રોડ શોમાં ગુજરાતના સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ નહીં જોડાય. એટલું જ નહીં પરંતુ મોદી અને ટ્રમ્પ ખુલ્લી કારમાં રોડ શો પણ નહીં કરે. વળી આ દિવસે આ રોડ શોને કારણે સામાન્ય લોકોને હાલાકી પણ પડવાની છે.
CM રૂપાણી ટ્રમ્પના રોડ-શોમાં નહી જોડાય
રોડ-શોમાં સામેલ થવા મંજૂરી નહી
US સિક્રેટ એજન્સીએ ન આપી મંજૂરી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં રોડ-શો કરવાના છે. આ રોડ-શો દરમિયાન સીએમ રૂપાણીના સામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી. USની સિક્રેટ એજન્સીઓએ CM રૂપાણીના કાફલાને ટ્રમ્પના રોડ-શોમાં જવાની મંજૂરી આપી નથી. ટ્રમ્પના રોડ-શોની સુરક્ષાની કમાન સિક્રેટ એજન્સીના હાથમાં છે. જેને લઈને રોડ શોમાં કઈ કાર સામેલ કરવી તે સિક્રેટ એજન્સીઓ દ્વારા નક્કી કરાશે. સાથે જ પીએમ મોદી અને ટ્રમ્પ ઓપન કારમાં પણ રોડ શો નહી.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે વધુ બે રસ્તાઓને ડાયવર્ઝન અપવાનું નક્કી કર્યું. મોટેરા સ્ટેડિયમને જોડતા 7 રસ્તાઓને અગાઉ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. નવા જે બે રસ્તાઓને બંધ કરાયા છે તેમાં પાવર હાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ,.પાવરહાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલ થી તપોવન સર્કલ સુધીનો માર્ગ પર પ્રતિબંધ તેની સામે પોલીસે વૈકલ્પિક રુટ જે ખોલ્યા છે તે પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગો ઉપર અવરજવર કરી શકાશે અને ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ બલોલ નગર થઈ જીએસટી ઓવરબ્રિજ થઈ જગતપુરા થઈ એસજી હાઇવે તરફ અવર-જવર કરી
શકાશે.
કયા રસ્તા રહેશે બંધ
1 - પાવરહાઉસ સર્કલથી જનપથટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ
2 - પાવર હાઉસ સર્કલથી જનપથટીથી વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો માર્ગ
3 - જનપથટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા સુધીનો માર્ગ
4 - ન્યુ સી.જી. રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ
5 - કોટેશ્વર ટીથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો માર્ગ
6 - દેવર્ષ ફ્લેટથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ
7 - સરદાર પટેલ રીંગ રોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ
8 - નોબલ ટીથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ
9 - શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ
ઓપ્શનલ રોડ
1 - પાવર હાઉસ સર્કલ ધરમનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગો ઉપર અવર-જવર કરી શકાશે
2 - ચિમનભાઈ બ્રીજ થઈ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ બલોલ નગર થઈ જીએસટી ઓવરબ્રિજ થઈ જગતપુર થઈ એસજી હાઈવે તરફ અવર-જવર કરી શકેશે.
3 - ચિમનભાઈ બ્રિજ થઈ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ અખબારનગર સર્કલ થઈ ચાંદલોડિયા બ્રિજ થઈ ગોતા બ્રિજ નીચેના ભાગે તઈ એસજી હાઈવે તરફ અવર-જવર કરી શકાશે
4 - એપોલો સર્કલ થઈ તપોવન સર્કલથી વિસત ટીથી ઓએનજીસી ચાર રસ્તા થઈ જનપથ ટી સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે
5 - મોટેરા ટી થઈ રીંગ રોડ તરફ અવર-જવર કરી શકાશે
6 - નોબલ નગર તરફથી નાના ચિલોડા રીંગ રોડ તરફ તથા ગેલેક્ષી અંડરબ્રિજ તરફ અને નરોડા પાટીયા તરફ અવર-જવર કરી શકાશે
7 - શાહીબાગ ડફનાળાથી ઙેવર સર્કલ તરફ તથા શાહીબાગ અંડરબ્રિજ તરફ-અવર જવર કરી શકાશે