બેઠક બાદ પીએમ મોદીએ બોટમાં બેસીને સીમામઉ નાળાનું સત્ય જાણ્યું
સરકારે ગંગા સફાઇ માટે વર્ષ 2020ની સમયમર્યાદા, 20 હજાર કરોડનું બજેટ નક્કી કર્યું છે
કેન્દ્ર સરકારના નમામિ ગંગા અભિયાન બાદ પણ આ પવિત્ર નદી હાલ પોતાના અસ્તિત્વ માટે લડાઇ લડી રહી છે. અહીં જાણીએ કે કેમ તમામ સરકારી પ્રયાસ બાદ પણ ગંગા નદી હજુ પણ પ્રદુષિત છે.
ગંગા સફાઇ માટે લાંબા સમયથી કામ કરી રહેલા આઇઆઇટી કાનપુરના પ્રોફેસર વિનોદ તારેએ એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું કે, કેન્દ્રના ભારે બજેટ અને નમામિ ગંગે અભિયાન બાદ ગંગા હજુ પણ મેલી છે. તેઓએ કહ્યું કે સરકાર એસટીપી બનાવીને ગંગાના પાણીને સ્વચ્છ કરવા માંગે છે પરંતુ ગંગાની સહાયક નદીઓની ગંદકીને દૂર કરવા માટે કોઇ નક્કર પગલા ઉઠવાયા નથી.
Kanpur: Prime Minister Narendra Modi takes a boat ride in river Ganga at Atal ghat, along with CM Yogi Adityanath, Bihar Deputy CM Sushil Modi and Uttarakhand CM Trivendra Singh Rawat. https://t.co/T3a8wb8rZspic.twitter.com/617K5tc1LP
પ્રોફેસર તારેએ કહ્યું કે, અમે હાલ ગંગામાં પડી રહેલા નાની-નાની નદીઓ અને નાળાઓને પ્રદુષણ મુક્ત નથી કરી રહ્યા. આપણે પહેલા આ નાની નદીઓ અને નાળાઓની સફાઇ પર કામ કરવું પડશે. આપણે ગંગાની સફાઇ માટે યોગ્ય પગલા ઉઠાવવા પડશે.
તેઓએ કહ્યું કે હજુ ગંગાની સફાઇ માટે ઘણા પ્રોજેક્ટ શરૂ પણ નથી થયા. સરકારે 20 હજાર કરોડ રૂપિયાનું વચન આપ્યું છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર થોડાક જ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. સરકારના આ પ્રોજેક્ટથી ગંગાના પ્રદુષણમાં થોડોક ઘટાડો થશે પરંતુ તેનાથી ગંગા સ્વચ્છ નહીં થાય. આપણે ગંગામાં ભળતી નદીઓને પહેલા સ્વચ્છ કરવી પડશે.
માત્ર પૈસા ખર્ચ કરવાથી સ્વચ્છ નહીં થાય ગંગા
આઇઆઇટી બીએચયૂના પ્રોફેસર અને ગંગા સફાઇ માટે અભિયાન ચલાવનારા વિશ્વંભર નાથ મિશ્રએ કહ્યું, રાજીવ ગાંધીએ 1986માં ગંગાની સફાઇનું કામ બનારસથી શરૂ કર્યું હતું. ત્યારબાદ પણ ગંગા સ્વચ્છ નથી થઇ. વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં વચન આપ્યું હતું કે ગંગા નદીને સ્વચ્છ કરવામાં આવશે. લગભગ 6 વર્ષ બાદ પણ 350 MLD નાળાનું પાણી સીધુ ગંગા નદીમાં જઇ રહ્યું છે. તેઓએ કહ્યું કે, સરકારી વચન પોકળ બની રહ્યા છે, અને ગંગાના પાણીમાં ખાસ બદલાવ નથી આવ્યો.