નલિની શ્રીહરને તેની મુક્તિ પર કહ્યું કે આ મારા માટે નવું જીવન છે. હું હવે જાહેર જીવનમાં ભાગ લેવાની નથી.
નલિની શ્રીહરનને આજે જેલમાંથી મુક્ત કરાઈ
આ મારા માટે નવું જીવન છેઃનલિની શ્રીહરન
નલિની શ્રીહરનને 31 વર્ષ બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવી
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષિત નલિની શ્રીહરનને 31 વર્ષ બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. નલિની શ્રીહરને તેની રિલીઝ પર કહ્યું કે આ મારા માટે નવું જીવન છે. હું હવે જાહેર જીવનમાં જોડાવાની નથી. 30 વર્ષથી વધુ સમય સુધી મને ટેકો આપવા બદલ હું તમિલોનો આભાર માનું છું. હું રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેનો આભાર માનું છું. મેં મારી દીકરી સાથે વાત કરી છે.
તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના છ દોષિતોને સુપ્રીમ કોર્ટે 31 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ મુક્ત કર્યા હતા. ત્રણ આરોપીઓ નલિની શ્રીહરન, તેના પતિ મુરુગન અને સંથનને શનિવારે સાંજે તમામ કાર્યવાહિ પૂર્ણ કર્યા પછી વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પેરોલની શરતો અનુસાર નલિનીએ સવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની હાજરી પણ પુરાવી હતી.
I am thankful to the people of Tamil Nadu who supported me for 32 years. I thank both, the State and Union Government. I will speak about the rest in Chennai tomorrow during Press Meet. Supreme Court lawyers will also speak tomorrow: Nalini Sriharan pic.twitter.com/Y7ZppeUNOK
નલિની ઉપરાંત શ્રીહરન, સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને આરપી રવિચંદ્રનને 1991માં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિતોએ "સંતોષકારક વર્તન" કર્યું, ડિગ્રીઓ મેળવી, પુસ્તકો લખ્યા અને સમાજ સેવામાં ભાગ લીધો.
નલિની શ્રીહરનના ભાઈ બકિયાનાથને કહ્યું કે દોષિતોએ ત્રણ દાયકા જેલમાં વિતાવ્યા છે અને ઘણું સહન કર્યું છે. બકિયાનાથને જણાવ્યું હતું કે, "તેને માનવતાના આધારે મુક્ત કરવામાં આવ્યા છે, જે લોકો તેમની મુક્તિનો વિરોધ કરે છે તેઓએ ભારતના કાયદાનું સન્માન કરવું જોઈએ."