ગાંધીનગરઃ બિટકોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની સંડોવણી સામે આવી હતી. ત્યાર બાદથી નલીન કોટડીયા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. નલીન કોટડીયા પોલીસની પકડમાં આવી રહ્યા નથી. નલીન કોટડીયાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. સાથો સાથ સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર વિરુદ્ધ પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહત્વનું છે કે બિટકોઈન કૌભાંડ સામે આવતા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ફરાર થયા બાદ તેમને ભાગેડૂ પણ જાહેર કર્યા હતા. ત્યારે હવે આરોપી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં નલિન કોટડિયા હાજર થાય તેવા CID ક્રાઈમે પોસ્ટર લગાવ્યા હતા. અમરેલી અને ધારી કોર્ટના હુકમના પણ રાજ્યમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. નલિન કોટડિયાના ફોટા સાથે કોર્ટના હુકમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
મહત્વનુ છે કે કોર્ટ દ્વારા નલિન કોટડિયાને 30 દિવસ સુધીમાં હાજર થવાના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે કોટડિયા 30 દિવસ થયા બાદ પણ હાજર ન થતા હજુ સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
કોટડીયાની શું છે ભૂમિકા?
કરોડો રૂપિયાના બીટકોઈન પડાવી લેવાનો મામલો
પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા હતા પતાવટની ભૂમિકામાં?
ફરિયાદીને ગૃહ મંત્રીને મળવા માટે લઈ ગયા હતા કોટડીયા
મુંબઈ સ્થિત કોટડીયાનો ભત્રીજો પણ છે શંકાના દાયરામાં
જગદીશ પટેલની ધરપકડ બાદ કોટડીયા ભૂગર્ભમાં
કોટડીયાના ત્રણેય મોબાઈલ ફોન છે બંધ
સુનિલ નાયરની કેમ નથી કરતા પુછપરછ?
બિટકોઈન કૌભાંડમાં શૈલૈષ ભટ્ટ પાસેથી ખંડણી ઉઘરાવવાના મામલે વધુ વિગતો સામે આવી હતી. જ્યાં CBIના અધિકારી સુનિલ નાયરને બચાવવાનો તખ્તો તૈયાર કરાયો હતો. CBIના અધિકારી નાયરે શૈલેષ ભટ્ટ પાસેથી પાંચ કરોડ પડાવ્યા હતા. બિટકોઇનના નામે દબાણ કરી નાયરે મોટી કળા કરી હતી. શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો પડાવનારને અધિકારીને મળી રાહત?
CBI અધિકારી સુનિલ નાયરની બદલી
સુરતમાં બિલ્ડર પાસેથી બિટકોઈન પડાવી લેવાના મામલે CBI અધિકારી સુનિલ નાયરની બદલી કરી દેવામાં આવી હતી. સુનિલ નાયરની બદલી ગુજરાતમાંથી મેઘાલય કરી દેવામાં આવી હતી. નેતાઓને આજીજી કર્યા બાદ નાયરની બદલી કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સુનિલ નાયરની શું છે ભૂમિકા?
સુનિલ નાયર CBI અધિકારી છે. બિટકોઈન કેસમાં સુનિલ નાયરની પણ સંડોવણી છે. સુનિલ નાયરે પણ શૈલેષ ભટ્ટ પાસેથી પડાવ્યા બિટકોઈન હતા. કિરીટ પાલડિયા સુનિલ નાયરના નામથી શૈલેષ ભટ્ટને ધમકાવતો હતો. નાયરે ભટ્ટ પાસેથી 5 કરોડ પડાવ્યાનો આરોપ છે. શૈલેષ ભટ્ટે CBI અધિકારીની તમામ વિગતો આપી હતા. કોટડિયા-પાલડિયાની સાઠગાંઠમાં નાયર હાથો બન્યા હતા. પાલડિયા નાયરના નામે ભટ્ટને ડરાવતો હતો. બિટકોઈનની વિગતો પાલડિયાએ જ નાયરને આપી હતી. નાયરે સત્તાવાર કાર્યવાહી વિના ભટ્ટ પાસેથી 5 કરોડ લીધા હતા.
નાયરને કોણ બચાવે છે?
શું સુનિલ નાયરને બચાવવા પાછળ મોટા નેતાઓનો હાથ છે? સુનિલ નાયરની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. સુનિલ નાયરે મોટા નેતાઓ સાથે બેઠક કરી હતી. પોતાને બચાવવા સુનિલ નાયરે નેતાઓ પાસે આજીજી કરી હતી. ત્યારબાદ તેમની બદલી મેઘાલયમાં કરવામાં આવી હતી.
સીઆઈડી ક્રાઇમ દ્વારા થતી તપાસ કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. મોટા મોટા ઓપરેશન પર પડનારી તપાસ એજન્સી કેમ કોટડીયાને પકડી શકાતી નથી ? સુનીલ નાયર વિરુદ્ધ પૂરતા પુરાવા હોવા છતા કેમ કોઈ કાર્યવાહી નહિ ? સીઆઈડી ક્રાઇમ શું કોઈ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહી છે ? સીઆઈડી ક્રાઇમ કોના ઈશારે નેતાઓ અને અધિકારીઓને બચાવી રહી છે ? આટલો મોટો નાણાકીય ગોટાળો બહાર આવવા છતા ઈડી કે ઈનકમટેક્ષ વિભાગની મદદ લેવાઈ નથી ?