બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:36 PM, 16 July 2024
વિવાદોમાં આવેલી આઇએએસ ઓફિસર પૂજા ખેડકર પર કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રેનિગ રોકી તેને એકેડમી બોલાવવામાં આવી છે. IAS ટ્રેનિંગ એકેડમીમાંથી તાત્કાલિક પાછી બોલાવવા આદેશ કરાયો છે. પુજાની ટ્રેનિગ પર રોક લાગી છે. મસુરી એકેડમીથી બોલાવી કાર્યમુક્ત કરવામાં આવ્યાના અહેવાલ છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડકરનો મામલો આ દિવસોમાં ચર્ચામાં છે. પૂજા અને તેના પરિવાર પર સતત આરોપો વચ્ચે તેની નિમણૂક સમયે સબમિટ કરેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પૂજા ખેડકરે પણ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
પૂજા ખેડકરની નિમણૂક સમયે સબમિટ કરેલા તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડકરે રજૂ કરેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવશે. તેણે માત્ર OBC અથવા વિકલાંગતા પ્રમાણપત્ર જ નહીં પરંતુ આર્થિક રીતે નબળા વિભાગ (EWS) પ્રમાણપત્ર પણ સબમિટ કર્યું છે.
સૂત્રોનું કહેવું છે કે જો તપાસમાં એક પણ પ્રમાણપત્ર નકલી જણાશે તો તેને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. સર્ટિફિકેટની ખરાઈ કર્યા વિના તેમની નિમણૂક કેવી રીતે કરવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે તેને વેરિફિકેશન માટે ઘણી વખત બોલાવવામાં આવી હતી પરંતુ તે હાજર થઈ ન હતી.
સંબંધીને બચાવવા માટે અધિકારી પર દબાણ સર્જાયું
આ પહેલા નવી મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે વિવાદાસ્પદ પ્રોબેશનરી IAS ઓફિસર પૂજા ખેડકરે DCP રેન્કના અધિકારી પર ચોરીના આરોપીને છોડાવવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તે કોલ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી.
એજન્સી અનુસાર આ મામલો 18 મેના પનવેલ પોલીસ સ્ટેશનમાં બન્યો હતો. અહીં પૂજા ખેડકરે કથિત રીતે ડેપ્યુટી પોલીસ કમિશનર વિવેક પાનસરેને ફોન કર્યો અને તેમને ટ્રાન્સપોર્ટર ઇશ્વર ઉત્તરવાડેને છોડવા કહ્યું, જેની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ખેડકરે ડીસીપીને સ્પષ્ટ કહ્યું કે ઉત્તરવાડે નિર્દોષ છે અને તેની સામેના આરોપો ઓછા છે. પૂજા ખેડકરે કોલ પર પાનસરે સાથે પોતાનો પરિચય આપ્યો હતો, પરંતુ ડીસીપીને વિશ્વાસ ન થયો કે કોલ કોઈ આઈએએસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો કે કોઈ ખોટું બોલે છે. આ કોલ પર પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ચોરીનો આરોપી ઉત્તરવડે હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
કોણ છે પૂજા ખેડકર?
IAS પૂજા ખેડકર તાજેતરમાં ચર્ચામાં આવી હતી જ્યારે તેણીની તાલીમ પૂર્ણ કરતા પહેલા જ પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. પૂજાએ પૂણેમાં અલગ કેબિન અને સ્ટાફની માંગ કરી હતી. જેના કારણે વિવાદ ઊભો થયો હતો. નવી મુંબઈ પોલીસે 32 વર્ષીય પ્રોબેશનરી IAS ઓફિસર પૂજાના વર્તન અંગે પુણે કલેક્ટર ઓફિસ અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કર્યો હતો.
પૂજા ખેડકર 2023માં UPSC પરીક્ષામાં 841મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની હતી. જોકે પૂજા હવે વિવાદોમાં ફસાઈ ગઈ છે. તેમના પર પુણેમાં તેમના પ્રોબેશનરી સમયગાળા દરમિયાન અધિકારીઓને હેરાન કરવાનો, ગેરવાજબી માંગણીઓ કરવાનો અને તેમની અંગત કાર પર લાલ બત્તી લગાવવાનો આરોપ છે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.