કેન્યાના નૈરોબીની એક હોટલ અને કાર્યાલય પરિસરમાં બોમ્બ બ્લાસ્ટ અને ફાયરિંગ થયું. આ બ્લાસ્ટની સાથે અહીં અંધાધૂધ ફાયરિંગ પણ થયું. આ ઘટનામાં કુલ 5 જેટલા લોકોનાં મોત નિપજયાં છે અને તેમાં મોટા ભાગના બ્રિટીશના નાગરિકો છે.
ડ્યૂસિટ હોટલના પરિસરમાં આવેલા કાર્યાલયમાં કામ કરતા એક શખ્સે જણાવ્યું કે એક બોમ્બ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો. એટલું જ નહીં બ્લાસ્ટ બાદ અંધાધૂધ ફાયરિંગ પણ થયું. આ વ્યક્તિના કહેવા અનુસારા તેને જે જોયું તે બહુ ભયાનક હતું.
બ્લાસ્ટ થતા પાંચ કિલોમીટર દૂર સુધી આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો. આ ઘટનાના પગલે પોલીસ અને સુરક્ષાબળના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે ત્યાર બાદ હુમલાખોરો અને સુરક્ષાબળના જવાનો વચ્ચે ફાયરિંગ પણ થયું.
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અમેરિકી યુરોપીયન અને ભારતીય પ્રવાસીઓ રહતા હોય છે. જો કે હુમલાખોરની સંખ્યાને લઇને કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રાપ્ત વિગતો મુજબ આ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન અલ સબાબે સ્વીકારી છે.
આ આતંકી હુમલામાં 6 જેટલા આતંકીઓ છુપાયા હોવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે. જે બાદ સુરક્ષાબળે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી. આ સંગઠને 2013માં વેસ્ટેગટ મોલ પર હુમલો કર્યો હતો જેમાં 67 લોકોના મોત નિપજ્યાં હતા.
અલ શબાબે 2011માં કેન્યા દ્વારા સોમાલિયામાં સૈનિકો મોકલવાની વિરુધ્ધ બદલો લેવાનો સંકલ્પ કર્યો છે. અલ કાયદાથી સંબંધિત સંગઠને અત્યાર સુધીમાં કેન્યામાં સેંકડો લોકોનો જીવ લીધો છે.