મહારાષ્ટ્રના પુણેમાં એક મુર્તી પર ફેણ કાઢીને સોંપ બેઠો છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
દત્ત ભગવાનની મુર્તી પર જોવા મળ્યા નાગરાજ
નાગરાજે આ રીતે આપ્યા દર્શન
દર્શન માટે ભક્તોની ભીડ જામી
શ્રાવણના મહિનામાં ભગવાન શંકરના મંદિરમાં ઘણા લોકો આવે છે અને પોતાની મનની ઈચ્છા પુરી કરવાની પ્રાર્થના કરે છે. શ્રાવણના મહિનામાં નાગદેવતાના દર્શન પવિત્ર માનવામાં આવે છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દત્તની મુર્તી પર એક નાગરાજ ફેણ કાઢીને બિરાજમાન થતા દેખાઈ રહ્યા છે.
મુર્તિ પર કરવામાં આવે છે અભિષેક
આ વીડિયો પુણે જિલ્લાના ઈંદાપુર તાલુકાના નિરગુડે ગામનો છે. જ્યાં એક જાગ્રત લિંબરાજના મંદિરમાં મંગળવારના દિવસે આ નજારો જોવા મળ્યો છે. આ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે અને મંગળવારે યાત્રાનું આયોજન થાય છે આ દિવસે ભગવાન શંકરની મુર્તિ પર અભિષેક કરવામાં આવે છે.
ફેણ કાઢીને બેઠા હતા નાગરાજ
પાછલા 2 વર્ષથી કોરોનાના કારણે આ યાત્રા નથી થઈ શકી. અમુક જ ભક્તોની સાથે મંગળવારે મંદિરમાં ધાર્મિક વિધિ કરવામાં આવી. આ સમયે જે રીતે ભગવાન શિવના ગળામાં ફેણ કાઢીને નાગરાજ જોવા મળે છે. તેવી જ રીતે દત્ત મુર્તિ પર એક નાગરાજ ફેણ કાઢીને બેઠા હતા.
દર્શન કરવા ભીડ જામી
આ વાતની જાણ થતા જ મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી ગઈ હતી. આ વીડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધાર્મિક વિધિ પુરી થયા બાદ નાગરાજને વન વિભાગને સોંપી દેવામાં આવ્યા છે.