નાગપુરની મોડી રાતે હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 27 દર્દીઓને ઉતાવળમાં બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આમાંથી 10 દર્દીઓ આઈસીયુમાં પણ હતા. વેલ ટ્રીટ હોસ્પિટલ નાગપુર અમરાવતી માર્ગ પર સ્થિત છે, શોર્ટ સર્કિટમાંથી આગ લાગવાથી હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી.
નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ
વેલ ટ્રિટ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ
ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે
હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે સ્થળાંતરીત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 4 દર્દીઓ બચાવી શકી ન હતી. જ્યારે બે દર્દીઓની હાલત નાજુક છે. અહેવાલો અનુસાર, આ 30 બેડની હોસ્પિટલ છે અને 15 પથારી આઇસીયુના છે અને બધાને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અગાઉ 25 માર્ચે સનરાઇઝ હોસ્પિટલમાં લાગી હતી આગ
આ અગાઉ 25 માર્ચની મધ્યરાત્રિ પછી મુંબઈના ભાંડુપ વિસ્તારમાં ડ્રીમ્સ મોલના મકાનમાં આગ લાગી હતી. આગ એક દુકાનમાં લાગી અને ચાર માળના મોલના ઉપરના માળે આવેલી સનરાઇઝ હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. આ ઘટનામાં હોસ્પિટલમાં દાખલ 11 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કોવિડ -19 ની સારવાર લઈ રહેલા 9 દર્દીઓ આગના કારણે ગૂંગળામણ મરી ગયા હતા, જ્યારે અન્ય બે દર્દીઓ આગ પહેલા કોરોના વાયરસના ચેપથી મૃત્યુ પામ્યા હતા.
Maharashtra: A fire broke out at a COVID hospital in Nagpur
"Around 27 patients at the hospital were shifted to other hospitals. We can't comment on their health condition now. Hospital has been evacuated," says police pic.twitter.com/YfGd9p4Xjh
શુક્રવારે મહારાષ્ટ્રમાં 58,993 નવા કેસ નોંધાયા છે જ્યારે 24 કલાકમાં 301 લોકોને કોરોના ભરખી ગયો છે. પૂના એ કોરોનામાં મહારાષ્ટ્રનો સૌથી અસરગ્રસ્ત જિલ્લો છે જ્યાં 10,084 કેસ નોંધાયા હતા, ત્યારબાદ મહાનગર મુંબઇ જ્યાં એક દિવસમાં 9,200 નવા કેસ નોંધાયા હતા. 58,993 નવા કેસ સાથે, રાજ્યમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 5,34,603 પર પહોંચી ગઈ છે. પુન:પ્રાપ્તિ દર 81.96% છે જ્યારે મૃત્યુદર 1.74% છે.