મહારાષ્ટ્રના નાગપુરથી દિલ્હી જઇ રહેલી ઇડિંગો ફલાઇટમાં ટેકનિકલ ખામી સામે આવી છે. આ ફલાઇટમાં કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ સવાર હતા. આજરોજ ઇડિંગોની ફલાઇટ 6E 636 આજે સવારે નાગપુરથી દિલ્હી જવા રન વે પર આવી ત્યારે અચાનક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાન રોકી દેવામાં આવ્યું.
ઇન્ડિગોના વિમાનમાં આવી ટેકનિકલ ખામી
ફલાઇટમાં નિતિન ગડકરી પણ હતા સવાર
રન વે પરથી પરત ફર્યું ઇન્ડિગો વિમાન
ટેકનિકલ ખામી ધ્યાનમાં આવતાં પાઇલટે વિમાનને રન પરથી ટેક ઓફ કરવાનો નિર્ણય લીધો. હાલમાં બધા યાત્રીઓ સુરક્ષિત ડી-બોર્ડ ગયા છે. કોઇપણ યાત્રીઓને ઇજા થઇ નહીં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં સામેલ થવા કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી ઇન્ડિંગોની ફલાઇટમાં દિલ્હી જઇ રહ્યાં હતા. કેબિનેટની બેઠક દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાનારી છે.
IndiGo flight 6E 636 from Nagpur to Delhi returned to taxiway from runway, after the aircraft detected serious error & pilot decided to abort the take-off. Passengers were de-boarded. Union Transport Minister Nitin Gadkari was also on-board the flight pic.twitter.com/54D1bs8WJL
જો કે પૂનાથી દિલ્હી જતાં ઇન્ડિંગો ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા હાલ નિતિન ગડકરીનું કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સામેલ થવું લગભગ મુશ્કેલ લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી રહેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં 15 ઓગસ્ટના રોજ મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિને લઇને સમીક્ષા પણ કરવામાં આવશે.
આમ નાગપુર એરપોર્ટ પર ઇન્ડિંગો વિમાનના પાઇલટની સમજશક્તિના કારણે મોટી દૂર્ઘટના ટળી ગઇ છે. ઇન્ડિગોની ફલાઇટ 6E 636 જે નાગપુરથી દિલ્હી જઇ રહી હતી ત્યારે રન વે પર જ ટેકનિકલ ખામી સર્જાતા રોકી દેવામાં આવી હતી.
ખરેખ તો વિમાનના પાઇલટે કેટલીક ગંભીર સમસ્યાનો રિપોર્ટ કરતાં વિમાનને ટેક ઓફ નહીં કરવાનો નિર્ણય લીધો અને તેને ટેક્સીવે પર લાવી દીધું. બધા યાત્રીઓને વિમાનમાંથી સુરક્ષિત બહાર નિકાળી દેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી પણ સવાર હતા.