ભગવાન શંકરના પૂરા વિશ્વમાં ઘણા મંદિરો છે જેની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. શ્રાવણના મહિનામાં આ મંદિરોમાં ભોલે શંકરના ભક્તોની ભીડ દરરોજ કરતાં વધારે જોવા મળે છે. એ સામાન્ય વાત છે કે પરંતુ સાપને મંદિરમાં પૂજા કરતા કદાચ જ કોઇને જોયા અને સાંભળ્યા હશે. જી હા સાંભળવામાં હેરાન કરનારી આ વાત સત્ય છે. ઉત્તર પ્રદેશ આગ્રાની પાસે સ્થિતિ ગામ સલેમાબાગના એક પ્રાચીન શિવ મંદિરમાં કોઇ પુજારી નહીં પરંતુ નાગ શિવલિંગની પૂજા કરે છે.
આ મંદિરની રસપ્રદ વાતોના કારણે અહીંયા શિવરાત્રિ અને શ્રાવણમાં હજારો શ્રદ્ઘાળુદર્શન કરવા આવે છે. આ મંદિરમાં દર્શન કરવા માટે શિવરાત્રિ ઉપરાંત અન્ય દિવસો પણ ભક્તોની ભીડ રહે છે. આ પ્રાચીન મંદિરમાં શિવની પૂજા કરવા માટે એક નાગ 15 વર્ષથી દરરોજ આવે છે. આ નાગ દરરોજ મંદિરમાં આશરે 5 કલાક સુધી રહે છે અને ભગવાનની પૂજા કરે છે. વૈજ્ઞાનિક હજુ સુધી આ નાગનું અહીંયા આવવાનું કારણ જાણી શક્યા નથી.
નાગ આ મંદિરમાં આશરે 10 વાગ્યે આવે છે અને બપોરે 3 વાગ્યે પરત ફરે છે. લોકો અહીંયા આ મંદિર અને નાગના દર્શન કરવા આવે છે. શ્રદ્ધાળુઓને આ સાપનો કોઇ ડર લાગતો નથી અને ક્યારેય કોઇને નુકસાન પહોંચાડયું નથી.
પૌરાણિક માન્યતાઓ અનુસાર આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે. આ કારણે શ્રદ્ધાળુ શિવજીની પૂજા કરવા માટે દૂર દૂરથી આવે છે. આમ તો આ મંદિરમાં નાગના પ્રવેશ બાદ દ્વાર બંધ કરી દેવામાં આવે છે પરંતું તેમ છતાં નાગના દર્શન કરવા માટે લોકો મંદિરની બહાર ઊભા રહે છે.