હિંદૂ ધર્મમાં સદીઓથી નાગની પૂજા કરવાની પરંપરા રહી છે. હિંદૂ પરંપરા અનુસાર નાગને ભગવાન શિવનું આભૂષણ માનવામાં આવ્યો છે. ભારતમાં નાગ દેવતાના અનેક મંદિર છે જેમાંથી એક મંદિર છે જે ઉજ્જૈન સ્થિત નાગચંદ્રેશ્વરનું છે જે પ્રસિદ્ઘ મહાકાળના મંદિરની ત્રીજા માળ પર આવેલું છે.
નાગચંદ્રેશ્વરના મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષમાં એક દિવસ જ એટલે કે નાગપંચમીના દિવસે જ ખોલવામાં આવે છે. માન્યતા અનુસાર નાગરાજ તક્ષક સ્વંય મંદિરમાં રહે છે. નાગચંદ્રેશ્વર મંદિરમાં 11મી સદીના એક અદ્ભુત પ્રતિમા છે જેમાં ફન ફેલાવતા નાગરાજ પર શિવ-પાર્વતી બેઠા છે. કહેવાય છે કે આ પ્રતિમા નેપાળથી લાવવામાં આવી છે. ઉજ્જૈન સિવાય દુનિયામાં ક્યાંય પણ આ પ્રતિમા નથી.
આખી દુનિયામાં આ એકમાત્ર મંદિર છે જેમાં વિષ્ણુ ભગવાનની જગ્યા ભગવાન ભોલેનાથ સર્પ શપ્યા પર બિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિમાં શિવજી ગણેશજી અને માં પાર્વતીની સાથે દસમુખી સર્પ શય્યા પર બિરાજમાન છે.
શું છે પૌરાણિક માન્યતા:
સર્પ રાજ તક્ષકને શિવશંકરના મનાવવા માટે તપસ્યા કરી હતી. તપસ્યાથી ભોલેનાથ પ્રસન્ન થયા અને તેમણે સાપના રાજા તક્ષક નાગને અમરત્વનું વરદાન આપ્યું. માન્યતા છે કે તેના પછી તક્ષક રાજા પ્રભુના સાનિધ્યમાં જ વાસ કરવા લાગ્યા પરંતુ મહાકાળના વનમાં વાસ કરતા પહેલા તેમની ઇચ્છા હતી કે તેઓ એકાંતમાં વિધ્ન ના આવે તે રીતે વાસ કરે પ્રથા છે કે માત્ર નાગપાંચમીના દિવસે તેઓ દર્શન આપે છે બાકીના સમય અનુસાર તેમના સમ્માનમાં પરંપરા અનુસાર આ મંદિર બંધ રહે છે.
આ મંદિરમાં દર્શન કરવાથી વ્યકિતને કોઇ પણ પ્રકારનો સર્પદોષ હોય તો તે દૂર થાય છે આ માટે નાગપાંચમીના દિવસે ખુલતા આ મંદિરની બહાર ભક્તોની લાંબી લાઇનો લાગે છે. આ મંદિરનું નિર્માણ ખૂબ જ પ્રાચીન છે. માનવામાં આવે છે રાજા ભોજે 1050માં લગભગ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ જે પછી સિંધિયા સમાજના મહારાજ રાણોજી સિંધિયાએ 1732માં મહાકાળની મંદિરનો ઝીર્ણોદ્ઘાર કરાવ્યો હતો.
અહીંયા નાગપંચમી પર દર્શન કરવા આવતા તમામ ભક્તોની ઇચ્છા હોય છે કે નાગરાજ પર બિરાજમાન શિવશંભુની એક ઝલક મળી જાય. લગભગ 2 લાખથી વધારે લોકો આ દિવસે નાગદેવના દર્શન કરવા માટે આવે છે. નાગચંદ્રેશ્વર મંદિરની પૂજા અને વ્યવસ્થા મહાનિર્વાણી અખાડાના સંન્યાસીઓ દ્વારા કરવામાં આવે છે.