કોરોનાના કેસો વધતા તેલંગાણા અને નાગાલેન્ડમાં લોકડાઉનની જાહેરાત કરાઈ છે. તેલંગાણામાં 10 દિવસ, નાગાલેન્ડમાં 7 દિવસ લોકડાઉન અમલી રહેશે.
તેલંગાણામાં 12 મેથી 10 દિવસનું લોકડાઉન
નાગાલેન્ડમાં 7 દિવસના લોકડાઉનની જાહેરાત
તેલંગાણા અને નાગાલેન્ડમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે
મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં લોકડાઉન અંગેનો નિર્ણય લેવાયો હતો. રાજ્ય સરકાર દ્વારા નિવેદન અનુસાર, 12 મેથી શરુ થનારુ લોકડાઉન 22 મે સુધી અમલી રહેશે.
રાજ્ય સરકારે સવારના 6 થી 10 સુધી અમુક પ્રકારની નિશ્ચિત ગતિવિધિઓની મંજૂરી આપી છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ફક્ત જરુરી સેવાઓ જ ચાલુ રહેશે. તેલંગાણા ચીફ મિનિસ્ટરની ઓફિસ દ્વારા એવું જણાવાયું કે તેલંગાણા લોકડાઉન સંબંધિત સંપૂર્ણ ગાઈડલાઈ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
નાગાલેન્ડમાં 14 મેથી 10 દિવસનું લોકડાઉન
નાગાલેન્ડ સરકારે 14 મેથી 21 મે સુધી એક સપ્તાહના કડકમાં કડક લોકડાઉનની જાહેરાત કરી છે.નેબીબા ક્રોનું અને કિકોન બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, 14 મે ના સાંજના છ થી શરુ થનાર લોકડાઉન 21 મે સુધી ચાલશે.આ પહેલા 30 એપ્રિલ નાગાલેન્ડ સરકારે કડક પ્રતિબંધો લાગુ પાડ્યાં હતા જોકે તેનાથી પરિસ્થિતિ કાબૂમાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે રાજધાની કોહિમા અને દિમાપુરમાં કોરોનાના કેસોમાં રાફડો ફાટી રહ્યો છે. કડક પ્રતિબંધો છતાં પણ કોરોના કેસમાં કાબુમા આવ્યાં નહોતા તેથી સરકારે કડકમાં કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
કૃષિ તથા બાંધકામ સેક્ટર તથા જરુરી સેવાઓને લોકડાઉનમાંથી છૂટ
નાગાલેન્ડ સરકારે કૃષિ તથા બાંધકામ સેક્ટર તથા જરુરી સેવાઓને લોકડાઉનમાંથી છૂટ આપી છે. સરકારી વિભાગો રાબેતા મુજબ ચાલુ રહશે જોકે ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા કોર ટીમની રચના કરવામાં આવશે. ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.