હિન્દૂ ઘર્મમાં નાગની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે અને તેઓને દેવતાનું રૂપ માનવામાં આવે છે. હિન્દૂ પંચાગના અનુસાર શ્રાવણ માસની શુક્લ પંચમીએ નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. તો આ ધરતી પર નાગોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વર્ણન આપણા ગ્રંથોમાં વાંચવા મળે છે. જેમાં વાસુકિ શેષનાગ તક્ષક અને કાલિયા જેવા નાગ છે. નાગોનો જન્મ ઋષિ કશ્યપની બે પત્નિઓ કદ્રુ અને વિનતાથી થયો હતો. જાણો નાગવંશની આવીજ કેટલીક ઐતિહાસિક વાતો....
શેષનાગ
શેષનાગનું બીજુ નામ અનન્ત પણ છે. શેષનાગે પોતાની બીજી માતા વિનતા સાથે થયેલા છળ કપટના કારણે ગંધમાદન પર્વત પર તપસ્યા કરી હતી. તેમીન તપસ્યાના કારણે બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યુ હતુ. ત્યારથી શેષનાગે પૃથ્વીને પોતના ફેણ પર ટકાવી રાખી છે. ધર્મ ગ્રંથોમાં લક્ષ્મણજી અને બલરામજીને શેષનાગનો જ અવતાર માનવામાં આવે છે. શેષનાગ ભગવાન વિષ્ણુ સાથે સેવકના રૂપમાં ક્ષીર સાગરમાં રહે છે.
વાસુકિ નાગ
નાગ વાસુકિને સમસ્ત નાગોના રાજા માનવામાં આવે છે. ધર્મ ગ્રંથોના અનુસાર સમુદ્ર મંથન સમયે નાગરાજ વાસુકિને દોરડાના રૂપમાં પ્રયોગ કરવામાં આવ્યા હતા. ત્રિપુરદાહ અટલે કે યુદ્ધમાં ભગવાન શિવે એક જ બાણથી રાક્ષસોના ત્રણ પુરોને નષ્ટ કરી દીધા હતો. તે સમયે વાસુકિ શિવજીના ઘનુષનું દોરડુ બન્યા હતા. નાગ વાસુકિને જ્યારે ખબર પડી કે નાગકુળનો નાશ થવાનો છે અને તેની રક્ષા તેના ભગિનીપુત્ર દ્વારા જ થશે ત્યારે તેણે પોતાની બહેન જરત્કારુના લગ્ન કરાવી દીધા. આ પ્રકારે તેમણે સાપોની રક્ષા કરી નહિતર સમસ્ત નાગ તે સમયે નષ્ટ થઈ ગયા હોત.
તક્ષક નાગ
તક્ષક નાગ વિશે માહભારતમાં એક કથા છે. તેના અનુસાર શ્રૃંગી ઋષિના શ્રાપના કારણે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો જેનાથી તેમનું મૃત્યુ થયુ હતુ. તક્ષક નાગ સાથે બદલો લેવાના ઉદ્ધેશ્યથી રાજા પરીક્ષિતના પુત્ર જનમેજયે સર્પ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં અનેક સર્પ આવીને પડવા લાગ્યા હતા. ત્યારે આસ્તીક મુનિએ તક્ષકના પ્રાણોની રક્ષા કરી હતી. તક્ષક જ ભગવાન શિવના ગળામાં લપેટાયેલો રહે છે.
કર્કોટક નાગ
કર્કોટક શિવનું એક ગણ છે. પૌરાણિક કથાઓના અનુસાર પોતાની માતાના શ્રાપથી બચવા માટે તમામ નાગ અલગ-અલગ જગ્યાઓમાં યજ્ઞ કરવા ચાલ્યા ગયા. કર્કોટક નાગે બ્રહ્માજીના કહેવા પર મહાકાલ વનમાં મહામાયા ના સામે સ્થિત શિવલિંગની પૂજા કરી. શિવે પ્રસન્ન થઈને કહ્યુ જે નાગ ધર્મનું આચરણ કરે છે તેનો વિનાશ નહીં થાય.