નાગપંચમીનો તહેવાર શ્રાવણ કૃષ્ણ પાંચમ અને શ્રાવણ શુક્લ પાંચમ આ બંને તિથિઓમાં મનાવવામાં આવે છે. બિહાર બંગાળ ઓડિસ્સા રાજસ્થાનમાં લોકો કૃષ્ણ પક્ષમાં આ તહેવાર ઊજવે છે જે આ વર્ષે 2 ઓગસ્ટે છે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં 15 ઓગસ્ટે નાગપાંચમી ઊજવવામાં આવશે. આ તહેવારે નાગોને દૂધ પીવડાવવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવે છે.
માન્યતા છે કે શ્રાવણના મહિનામાં નાગ દેવતાની પૂજા કરવા અને નાગપંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. માન્યતા છે કે નાગોની પૂજાથી અન્ન ધનના ભંડાર પણ ભરેલા રહે છે. પરંતુ વિજ્ઞાનનું માનીએ તો સાપને દૂધ પીવડાવવું એમના માટે નુકસાનકારક છે. જાણો આ પરંપરા પાછળ ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક તર્ક...
નાગપંચમીના દિવસે સાપને દૂધ પીવડાવવા અને ડાંગરનો પાક અર્પિત કરવાની પરંપરા છે. આ દિવસે મદારીઓ ઘરે ઘરે ફરીને નાગના દર્શન કરાવે છે અને ભિક્ષા માંગે છે. શ્રદ્ધાળુ નાગોને દૂઘ પીવડાવાની સાથે મદારીને પણ દાન આપે છે.
વિજ્ઞાનનું માનીએ તો સાપ રેપ્ટાઇલ જીવ છે. રેપ્ટાઇલ જીવ દૂધને પચાવી શકરતા નથી. અને એવામાં કેટલીક વખતે એમનું મૃત્યુ થઇ જાય છે. દૂધ પીવડાવવાથી સાપના આંતરડાનું ઇન્ફેક્શન થઇ શકે છે.
નાગપંચમીના મહિના દોઢ મહિના પહેલા જંગલોમાંથી સાપને પકડવામાં આવે છે. ત્યારબાદ એને ભૂખ્યો તરસ્યો રાખવામાં આવે છે અને કેટલીક વખત સાપના દાંત નિકાળી દેવામાં આવે છે. કારણ કે એ કરડી શકે નહીં. એક મહિના સુધી આવી રીતે રહ્યા બાદ સાપનું શરીર સૂકાઇ જાય છે સાથે જે માંસપેશીઓ નબળી થઇ જાય છે. આ કારણ છે કે એક મહિના સુધી ભૂખ્યો તરસ્યો રહ્યા બાદ નાગપંચતમી વાળા દિવસે સાપ ઝડપથી દૂધ પી લે છે. પરંતુ એમના માટે ખૂબ નુકસાનકારક હોઇ શકે છે.