ગુજરાતમાં ફરી એક વાર મગફળી કૌભાંડ સામે આવ્યું છે. કચ્છનાં ગાંધીધામમાં આવેલ શાંતિ ગોડાઉનમાં ખેડૂતો દ્વારા દરોડા પાડતા મગફળીની ગુણીમાં પથ્થર અને માટીનાં ઢેફા મળી આવ્યાં છે. ટેકાનાં ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાંથી માટી નિકળી છે. શાંતિ ગોડાઉનમાં મગફળીમાંથી માટી નિકળવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે રાજ્યમાં ખૂબ મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
કચ્છનાં ગાંધીધામમાં ફરી એક વાર મગફળી કૌભાંડ (Groundnut scandal) સામે આવ્યું છે. ત્યારે નાફેડનાં ચેરમેન દિલીપ સાંઘાણી (Dilip Sanghani) એ સમગ્ર કૌભાંડમાં ખરીદદાર મંડળીને જવાબદાર ઠેરવી છે. સાંઘાણીએ કહ્યું કે, હાલમાં આગનાં કૌભાંડમાં કપાસ કરવામાં આવી રહી છે. અગાઉ ખેડૂતોને બધા રૂપિયા ચૂકવાઇ ગયા છે. ત્યારે ધાનાણીનાં આ આરોપો પર તેઓએ કહ્યું કે, કોંગ્રેસ નેતા પોતાની બુદ્ધિક્ષમતાનું પ્રદર્શન કરે છે અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે. કોંગ્રેસ લોકોને ઉશ્કેરે છે. અગાઉનાં કૌભાંડોમાં પણ તપાસ કરાઈ છે. અગાઉ ખેડૂતોને બધા રૂપિયા ચૂકવાઈ ગયા છે.'
મહત્વનું છે કે ગુજરાતમાં ફરી એક વાર મગફળી કૌભાંડ સામે આવ્યું છે. કચ્છનાં ગાંધીધામમાં આવેલ શાંતિ ગોડાઉનમાં ખેડૂતો દ્વારા દરોડા પાડતા મગફળીની ગુણીમાં પથ્થર અને માટીનાં ઢેફા મળી આવ્યાં છે. ટેકાનાં ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાંથી માટી નિકળી છે. શાંતિ ગોડાઉનમાં મગફળીમાંથી માટી નિકળવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે રાજ્યમાં ખૂબ મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
ત્યારે આ મુદ્દે પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, '2017માં સરકાર દ્વારા મગફળીની ખરીદી કરાઈ હતી. ખેડૂતો પાસેથી નબળી મગફળી ન ખરીદી તો માટી ક્યાંથી આવી. કોંગ્રેસનાં આંદોલન બાદ પણ સરકારે કાર્યવાહી કરી નથી. મગફળી કાંડને સરકારે દબાવવાનો પ્રયાસ કર્યો છે. કૌભાંડમાં રાજ્ય સરકાર સીધી રીતે જવાબદાર છે. નોડેલ એજન્સીઓએ બોરીઓમાં માટી અને પથ્થરા ભર્યા છે. સરકારે મગફળીમાં ચોરી કરવા પીળો પરવાનો આપ્યો છે. ખરીદીથી લઈને અત્યાર સુધીની સમગ્ર કાર્યવાહીની તપાસ થવી જોઈએ. હાઈકોર્ટનાં સિટીંગ જજની નજર હેઠળ તપાસ થવી જોઈએ. સમગ્ર કાર્યવાહીની તપાસ થવી જોઈએ.'
આ મામલે કોંગ્રેસ કિસાન સંઘનાં અધ્યક્ષ પાલ આંબલિયાએ પણ નિવેદન આપતા જણાવ્યું કે, '2017માં જે કૌભાંડ થયુ હતું તે જ આ કૌભાંડ છે. આ કૌભાંડને દબાવવા માટે ગોડાઉનમાં આગ લગાવવામાં આવી હતી. આ ગોડાઉનમાં લાઈટની વ્યવસ્થા જ નથી, તો શોર્ટસર્કિટ થયું ક્યાંથી. આ કૌભાંડને દબાવવા માટે શોર્ટસર્કિટનું નામ આપવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા જનતાનાં પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે. કૌભાંડ સામે આવ્યાં બાદ પણ નાફેડનાં અધિકારીઓ ગોડાઉન પર આવ્યાં નથી.'
મગફળી કૌભાંડ મામલે લલિત વસોયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, 'ટેકાનાં ભાવે ખરીદીએ ભાજપનાં કાર્યકરોને ટેકો કરવા માટેની ખરીદી છે. ખેડૂતોને ટેકા માટેની નથી. કૌભાંડમાં મોટા મગરમચ્છોને સરકાર બચાવી રહી છે. ગુજરાત સરકાર કૌભાંડને દબાવી રહી છે.'