શહીદ જવાનની અંતિમ વિદાય સમયે સમગ્ર ગામના સ્વજનોની આંખોમાં પાણી જોવા મળ્યા.
દેશની સરહદે રાત-દિવસ સેવા કરતા નડિયાદના એક જવાન શહીદ થયા છે. CRPFના જવાન દિનેશભાઈ મેટકરનું હ્દયરોગના હુમલાથી નિધન થયું છે. શ્રીનગરના કુપવાડામાં શહીદ જવાન દિનેશભાઈ તૈનાત હતા. હુમલો આવ્યા બાદ તેમને તુરંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ
શહીદના પાર્થિવ દેહને નડિયાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જવાન દિનેશભાઈના પરિવાર સાથે સમગ્ર ગામમાં પણ શોકનું વાતાવરણ છવાયું છે. શહીદ જવાનની અંતિમ વિદાય સમયે સમગ્ર ગામના સ્વજનોની આંખોમાં પાણી જોવા મળ્યા. પરિવરજનો પણ પૂરી રીતે ભાંગી પડ્યા છે.