નડિયાદમાં એક યુવકે પોતાની આર્થિક પરિસ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરી છે.મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ પહેલા કલ્પેશ નામના યુવાને નહેરમાં ઝંપલાવ્યું હતું.જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે.જોકે કલ્પેશની આત્મહત્યાને લઈને તેના પરિવારજનો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો.
કલ્પેશના પરિવારજનોનું જણાવવું છે કે કલ્પેશ તેના બંને દિકરાઓમાંથી એકને ડોક્ટર અને બીજાને દેશની સેવા કરવા માટે મોકલવા માગતો હતો.પરંતુ તેના મોટા દિકરાને અસ્થમાની બિમારી છે.અને તેની આર્થિક સ્થિતિ નબળી હોવાળા કારણે તે દિકરાની સારવાર કરાવી શકે તેમ ન હતો.જેથી તેણે સરકાર પાસે આર્થિક સહાય માટે અપીલ કરી હતી.પરંતુ સરકાર તરફની કોઈપણ પ્રકારની સહાય ન મળતા તેણે આત્મહત્યા કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કોમ્પ્યુટરના વ્યવસાય સાથે જોડાયેલા કલ્પેશે પોતાના બાળકાની બિમારીનો ઇલાજ કરાવવા માટે કેન્દ્ર સરકાર પાસે પણ આર્થિક મદદની E-Mail કરી માંગણી કરી હતી જો કે તેને ત્યાંથી કોઇ પ્રત્યુત્તર નહીં મળતા અંતે કંટાળીને નહેરમાં ઝંપલાવી મોતને વાહલું કર્યું હતું.