પોતાના સુરીલા અવાજથી લોકોનુ દિલ જીતનાર નચિકેતે શોમાંથી વિદાય લીધી તે તેના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. જજના નિર્ણય સિવાય વોટિંગ પણ એટલુ જ મહત્વનુ છે. જનતાના વોટ જેને ઓછા મળે છે તે વ્યક્તિ શોમાંથી બહાર થઇ જાય છે. નચિકેત લેલે પણ ઓછા વોટિંગના કારણે જ શોમાંથી બહાર થઇ ગયો છે. તેણે એક મેસેજ તેના ફેન્સ માટે શૅર કર્યો છે.
ગયા રવિવારે નચિકેતના ફેન્સને નિરાશા થઇ જ્યારે તેને ખબર પડી કે હવે નચિકેત ઇન્ડિયન આઇડલના સ્ટેજ પર નહી ગાઇ શકે ત્યારે નચિકેતના ફેન્સ અને સિંગર પોતે થોડો દુઃખી થયો પરંતુ તેણે વિચારી લીધુ છે કે તેને આગળ હવે શું કરવુ છે.
નચિકેત વીડિયો મેસેજમાં પોતાની શોની સંપૂર્ણ જર્ની વિશે જણાવી રહ્યો છે. તેણે કહ્યું કે આ શોના કન્ટેસ્ટન્ટ માત્ર સિંગીંગ ક્વોલિટીમાં નહી પરંતુ તેની આખી પર્સનાલીટી જ ચેન્જ કરી નાંખે છે.નચિકેતાએ ત્રણેય જજીસની ખુબ પ્રશંસા કરી અને તેમની પાસેથી શીખેલી વસ્તુઓ તેને આગળ લઇ જશે તેવુ પણ કહ્યું હતુ.
સાથે જ નચિકેતે કેમેરા પર્સનથી લઇને મેકઅપ આર્ટિસ્ટ સુધી બધા જ લોકોને થેન્ક્યુ કહ્યું છે. બધાનો જે પ્રકારનો સહયોગ મળ્યો છે તેને બિરદાવીને સિંગરે આભાર માન્યો છે. તેણે કહ્યું કે તે હવે શાંત નહી બેસે, હવે તે પોતાની યુટ્યુબ ચૅનલ બનાવશે અને ફેન્સને એન્ટરટેઇન કરતો રહેશે.
સવાઇ ભટ્ટ પર સવાલ
આ જ રિયાલીટી શોમાં રાજસ્થાનથી આવેલા સવાઇ ભટ્ટને ખુબ ગરીબ બતાવવામાં આવ્યો હતો અને પછી મેકર્સ પર સવાલ ઉઠ્યા હતા અને લોકોએ કહ્યું કે સોનુ નિગમ સાથે ગાતો વ્યક્તિ ગરીબ કેવી રીતે હોઇ શકે. મેકર્સ આ બધુ TRP માટે જ કરી રહ્યા છે.