રાત્રિ કર્ફ્યૂમાં માસ્ક વગર બિન્દાસ ડાન્સ કરતા નબીરાઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો અમદાવાદ શહેરનો હોવાની શક્યતા
શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા
રાત્રિ કર્ફ્યૂમાં માસ્ક વગર નબીરાઓનો ડાન્સ
નબીરાઓએ પંજાબી ગીત પર લગાવ્યા ઠુંમકા
રાજ્યમાં કોરોનાની મહામારીના લઈ રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે ત્યારે રાત્રિ કર્ફ્યૂમાં પણ નબીરાઓ ડાન્સ કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે પાંચ જેટલા યુવકો રાત્રિ દરમિયાન બેરીકેડ આગળ ડાન્સ કરી રહ્યા છે માસ્ક વગર બિન્દાસ ડાન્સ કરતા આ યુવકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાઇરલ વીડિયો અમદાવાદ શહેરનો હોવાની શક્યતા જણાઈ રહી છે. જેમાં નબીરાઓ બિન્દાસ રીતે પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. આ રીતે રાતે ડાન્સ કરતો વીડિયો સામે આવતા શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં 5 યુવકો મોડી રાતે ડાન્સ કરી રહ્યા છે. બ્લેક કલરની ગાડીમાં એક યુવક ડ્રાઇવર સાઈડ સીટ પર દરવાજો ખોલી ઉભો રહી ડાન્સ કરે છે. બીજા ત્રણ શખ્સ બેરીકેડ આગળ ઉભા રહી ડાન્સ કરે છે જ્યારે અન્ય એક શખ્સ કારના ઉપરના ભાગે ઉભો રહી ડાન્સ કરે છે. આ રીતે નાઈટ દરમિયાન માસ્ક વગર ડાન્સ કરતો વીડિયો બનાવી વાયરલ કરનાર યુવકો કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે જેનો વીડિયો સામે આવ્યો છે ત્યારે પોલીસની કામગીરી પણ પર શંકા જાય છે નાઈટ કર્ફ્યુનો કડકપણે શહેરમાં અમલ થવો જરૂરી છે. ત્યારે શહેર પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે.
રાજ્યમાં કોરોના કેસ ઓછા થતા કેટલીક છુટછાટ
બીજી લહેરની અસર ઓછી થતાં સરકારે કેટલીક વસ્તુઓમાં છુટછાટ આપી છે. અગાઉ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે 3 વાગ્યા સુધી તમામ બજારો ખુલ્લાં રાખવા છૂટ આપી છે, પરંતુ અમદાવાદમાં 3 વાગ્યા બાદ પણ હવે લોકો દુકાન અને લારી ગલ્લા ચાલુ રાખી વેપાર કરતા જોવા મળી રહ્યા છે. ઉપરાંત હોટલ-રેસ્ટોરાં અને નાસ્તા માટે ટેક-અવે રાખવામાં આવ્યું છે, એની જગ્યા હવે દુકાન કે રેસ્ટોરાંની બહાર જ જમવાનું અને નાસ્તો કરવાનું લોકોએ શરૂ કરી દીધું છે.
હાલ શહેરમાં શું છે કોરોનાની સ્થિતિ ?
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થવા છે, ત્યારે શહેર અને જિલ્લામાં 75 દિવસ બાદ 247થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 16 માર્ચ, 2021ના રોજ 247 કેસ નોંધાયા હતા. ગઈકાલે 24 કલાકમાં 245 નવા કેસ નોંધાયા છે. તેમજ 5 દર્દીના મોત થયા છે અને 1414 દર્દી સાજા થયા છે. 29 મેની સાંજથી 30 મેની સાંજ સુધીમાં શહેરમાં 237 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 1385 અને જિલ્લામાં 29 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 5 દર્દીના મોત થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 35 હજાર 78 થયો છે. જ્યારે 2 લાખ 25 હજાર 568 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 335 થયો છે.