ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ હવે સુધરવા લાગી છે. 87 ટકા ગ્રામીણ ઘરોમાં હવે મોબાઈલ આવી ચુકયા છે અને તેમની બચતનો મોટા ભાગનો હિસ્સો બેન્કમાં જમા થવા લાગ્યો છે. પણ ચિંતાની વાત છે કે કૃષિ સાથે જોડાયેલા 52.5 ટકા પરિવરા હજૂ પણ દેવાના બોજ નીચે દબાયેલા છે. નાબાર્ડના થોડા સમય પહેલાના સર્વેક્ષણમાં આ વાતો સામે આવી છે.
સર્વેક્ષણ પ્રમાણે ગ્રામીણ પરિવારોની સરેરાશ આવક હવે કૃષિથી વધારે દૈનિક મજૂરીથી થવા લાગી છે. કૃષિ પર આશ્રિત એક ગ્રામીણ પરિવારની સરેરાશ વાર્ષીક આવક 1 07 172 રૂપિયા છે જ્યારે ગૈર-કૃષિ ગતિવિધિઓ સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની સરેરાશ વાર્ષીક આવક 87 228 રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે માસિક આવકનો 19 ટકા ભાગ કૃષિથી આવે છે જ્યારે સરેરાશ આવકમાં દૈનિક મજૂરીનો ભાગ 40 ટકાથી વધારે છે.
આ સર્વેક્ષણમાં દેશના 29 રાજ્યોના 40 327 કૃષિ અને કૃષિત્તર ગ્રામીણ પરિવારોના 1.88 લાખ વ્યક્તિઓને શામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેક્ષણ 2016-17માં કરવામાં આવ્યુ હતુ. સર્વેક્ષણથી જાણવા મળ્યુ છે કે વર્ષ 2012-13ના માટે 70માં ચક્રના એનએસએસઓ સ્થિત આંકલન સર્વેક્ષણના અનુમાનોની તુલનામાં વર્ષ 2015-16એ સમાપ્ત ત્રણ વર્ષના પિરિયડ દરમિયાન કૃષિ પરિવારોની આવકના સ્તરમાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે અને 90 ટકા ગ્રામીણ પરિવારોના બેંક ખાતાઓ ખુલી ગયા છે.