N-95 માસ્કના ઉપયોગને લઈને હંમેશા દ્વિધા જોવા મળી રહી છે. કોઈ વ્યક્તિએ N-95 માસ્ક પહ્યું છે તો તેની તે વ્યક્તિ પર અને આસપાસના વ્યક્તિઓ પર શું અસર થાય છે તેને લઈને જાણકારોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે N-95 પહેરનારા સુરક્ષિત છે પણ તેમની આસપાસના લોકો પર ખતરો વધુ જોવા મળે છે.
કેવા N95 માસ્ક છે સુરક્ષિત?
N95 માસ્કને લઇ શું માની રહ્યાં છે નિષ્ણાંતો?
એવા N-95 માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેમાં છીદ્રો ન હોય
જાણકારોનું કહેવું છે કે N95 માસ્ક પહેરનારા વ્યક્તિની આસપાસના લોકોને વધારે જોખમ રહે છે. N95 છિદ્રોવાળા માસ્કનો ઉપયોગ પ્રદૂષણથી બચવા માટે કરવામાં આવે છે જેથી મોઢામાં કાર્બન ડાયોક્સાઈડ ન જાય. આ માસ્ક પહેરીને શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે મોઢામાંથી કીટાણુઓના બહાર નીકળવાનો ખતરો વધે છે. જેનાથી આસપાસના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. માટે એવા N95 માસ્ક વાપરવા જેમાં છિદ્રો ન હોય.
સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ અપીલ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રોજની એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તે N95 માસ્કનો ઉપયોગ ન કરે. આ માસ્ક પીપીઈ કિટનો ભાગ છે. તેને કોવિડ 19 સામે લડતા ફ્રંટલાઈન કર્મચારી ઉપયોગમાં લે છે. સ્વાસ્થ્ય કર્મચારીઓએ પણ N95 માસ્કનો ઉપયોગ ન કરવો. તેઓએ કોરોના મહામારીની વચ્ચે N95 માસ્ક જેમાં છિદ્ર છે તેના પર પ્રતિબંધ લગાવી દેવો. એવા માસ્ક ત્યારે ઉપયોગમાં લેવા જ્યારે પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય. છિદ્રોના કારણે હવાની સાથે સાથે બેક્ટેરિયા કે વાયરસ બહાર નીકળી શકે છે. અન્ય લોકોને માટે ઘાતક હોઈ શકે છે. માસ્ક એવા પહેરો કે નાક, મોઢું અને દાઢી પણ તેમાં સામેલ થાય.
સફાઈ અને હેલ્થ કર્મીઓને આપવામાં આવી આ સલાહ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હેલ્થ કેર અને સફાઈ કર્મીઓને સર્જિકલ માસ્ક પહેરવાની સલાહ આપી છે. જે લોકો સીધી રીતે કોરોના સામે લડી રહ્યા નથી, દરેક ઉપયોગ બાદ સર્જિકલ માસ્કને ફેંકવાની સલાહ આપવામાં આવી છે.
માસ્કના ઉપયોગની સાથે આ સાવધાની પણ જરૂરી
જાણકારોનું કહેવું છે કે માસ્કનો ઉપયોગ કોરોનાથી બચાવી લેતો નથી. સાથે જ તમારે હાથ ધોવા, સાફ સફાઈ રાખવી, ખાંસી કે છીંકની રીત અને અન્ય વ્યક્તિ સાથે 6 ફીટનું અંતર બનાવી રાખવું પણ જરૂરી છે. જો તમે બહાર નીકળો છો તો ગ્લ્વ્ઝ પહેરો તે પણ જરૂરી છે.