અમદાવાદના સોલા ખાતે 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે
અમદાવાદમાં ઉમિયાધામ બનશે
1500 કરોડના ખર્ચે બનશે મંદિર
આરોગ્ય અને શિક્ષણ સંકુલ પણ બનશે
PM મોદી 13 ડિસેમ્બરે વર્ચ્યુઅલી જોડાશે
અમદાવાદમાં સૌથી મોટું એવું ઉમિયાધામ મંદિર આકાર લેવા જઇ રહ્યું છે. મંદિરના શિલાન્યાસની તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે. 1500 કરોડના ખર્ચે મંદિર આકાર પામશે મંદિરના પ્રાંગણમાં ધર્મસંકુલ, શિક્ષણ સંકુલ અનેઆરોગ્ય સંકુલ પણ બનશે. શિક્ષણ સંકુલમાં 1200 વિદ્યાર્થીઓને ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આરોગ્ય સંકુલમાં સેવા પણ આપવામાં આવશે. અમદાવાદના સોલા ખાતે 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમમાં અમિત શાહ 11મીએ હાજર રહેશે તો PM મોદી 13મીએ વર્ચ્યુઅલી જોડાશે.
રૂ.1500 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે મંદિરઃ બાબુ જમના
દસક્રોઇ ધારાસભ્ય બાબુ જમના પટેલે કહ્યું કે, રૂ.1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની ઇમારતો બનવવામાં આવશે. 1200 કરતા વધુ દિકરા-દિકરીઓ ભણી શકે તેવી વ્યવસ્થા. દરેક સમાજને લાભ મળે તેવો ઉદ્દેશ્ય સાથે આરોગ્ય સંકુલ બનશે. સૌને સાથે રાખીને કડવા પાટીદાર આગળ ચાલી રહ્યો છે.
દરેક સમાજ ભૂમિકા ભજવે તેવા ઉદેશ્ય સાથે અમારો પ્રયત્નઃ સી.કે. પટેલ
ઊંઝા ઉમિયાધામના ટ્રસ્ટી સી.કે.પટેલે કહ્યું કે, કડવા પાટીદાર સમાજ આખા વિશ્વમાં પથરાયેલ છે. માતાજી પ્રત્યેનો ભાવ વધ્યો છે. ગરીબ સમાજના વર્ગોને ધ્યાને રાખીને અમે વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. ઊંઝા ઉમિયાધામ સોલા ખાતે આરોગ્ય સંકુલ પણ બનાવશે. શિક્ષણ સંકુલ અને ધર્મ સંકુલ બનશે. દરેક સમાજ ભૂમિકા ભજવે તેવા ઉદેશ્ય સાથે અમારો પ્રયત્ન છે.
132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશેઃ દિલીપ પટેલ
ઉમિયાધામ માનદ મંત્રી દિલીપ પટેલે કહ્યું કે, કાર્યક્રમમાં PM મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. 1866 વર્ષ પહેલા જ ઉમિયા માતાજી ઊંઝામાં બિરાજમાન છે. ઉમિયાધામ સંસ્થા સર્વે સમાજને સાથે રાખીને કામ કરતી સંસ્થા છે. અંબાજી, બહુચરાજી સહિત અમારી સંસ્થાઓ લોકોને મદદરૂપ બની છે. અમદાવાદમાં 74 હજાર વારમાં ભવ્ય વ્યવસ્થા ઉભી કરાશે. કેમ્પસમાં ભોજનાલય પણ બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્પિટલ પણ બનાવાશે. મંદિરની સાથે લોકોના હિત અને વ્યવસ્થા સાથેનું મંદિર બનશે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે. મંદિરની લંબાઇ 255 ફૂટ અને 160 ફૂટ પહોંચાઇ હશે. 132 ફૂટ ઊંચા શિખર કળશ સાથે મંદિર બનશે. મંદિર નિર્માણમાં લોંખડનો વપરાશ નહીં થાય. 51 હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા નીકળશે. અમદાવાદમાં ત્રણ દિવસના શિલાન્યાસનું આયોજન કરાયું છે.
અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યુંઃ રમેશ દૂધવાળા
ઊંઝા ઉમિયાધામના કન્વીનર રમેશ દૂધવાળાએ કહ્યું કે, રૂ.300 કરોડના ખર્ચે હોસ્ટેલ, ભોજનાલય, સંકુલ બનાવાશે. દેશ-વિદેશમાં અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. અત્યાર સુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળેલ છે. 65 કરોડ જેટલું ફંડ સંસ્થા પાસે છે.