જામનગર જિલ્લાના જોડિયા પંથકની કામગીરીમાં ક્ષાર નિયંત્રણના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર આક્ષેપ
કૃષિ મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં અધિકરીઆ પર આક્ષેપ
14 લાખના ટેન્ડર બહાર પડે અને કામ 5 લાખનું થતું હોવાનો આરોપ
ક્ષાર નિયંત્રણ અધિકારીને જાહેરમાં ખખડાવ્યા
જામનગરના જોડિયા પંથકમાં ક્ષાર નિયંત્રણના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. દર વર્ષે આજી અને ઊંડ ડેમના પાણી જોડિયા પંથકમાં ફરી વળતા ખેડૂતોને મોટી નુકસાની પહોંચે છે. જેને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે ક્ષાર નિયંત્રણના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા. આ મિટિંગમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત ખેડૂત આગેવાનો અને નેતાઓ હાજર હતા. પણ બેઠક શરૂ થયા બાદ ખેડૂતોના આ પ્રશ્નને જિલ્લા પ્રમુખે અલગ રીતે રજૂ કર્યો હતો. પ્રમુખ ધરમસી ચનીયારાએ ક્ષાર નિયંત્રણના અધિકારીઓ પર 14 લાખના ટેન્ડર બહાર પાડી 5 લાખના કામ થતાં હોવાનો આરોપ લગાવ્યો એક સમય માટે ખળભળાટ મચ્યો છે.
જિલ્લા પંચાયતના પ્રમુખે શું આરોપ કર્યા?
આ જોડિયાવાળા માટે ચેકડેમનો પ્રશ્ન આવ્યોને તેનું ટેન્ડર કાલે બહાર પડી જશે
જે માટીકામ તૂટેલ ચેકડેમ રહ્યું...અને બીજુ...
કોણ છો તમે?
ક્ષાર નિયંત્રણમાં તમે છો?
શું તમારું નામ?
મહેતા સાહેબ, તમને વારંવાર ફોન કર્યા છે. પણ તમે એમા પેલા ચેકડેમમાં કુનળ-2 બાદલપર.
14 લાખના ટેન્ડર વર્ષો વર્ષ તમે નાખો છો. અને તેમાં 5 લાખનું કામ કરો
પછી તમે મને ના કહેતા, આ તમને કહી દઉ છું
બાદલપર અને જોડિયા વચ્ચે હું તમને કહું છું, તેનો ભોગ આ પ્રજા બને છે.
એટલું ધ્યાન રાખજો તમે, છોડીશ નહીં હું કોઇને પછી મને કહેતા નહીં.
જે હોય તે મને ખબર છે આખી હિસ્ટ્રી.
દર વખતે 14 લાખના બિલ બને છે અને 5 લાખનું કામ થાય છે.
એક તરફ પ્રમુખ ધરમસી ચનીયારા જોડિયા પંથકમાં કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા હતા બીજી અધિકારીઑ મૂંગામોઢે બેસી રહ્યા હતા. દર સ વર્ષે ચોમાસા દરમિયાન થતી ખુવારી પાછળ તંત્રની નીતિઓ જવાબદાર હોવાનો ખેડૂતો અવારનવાર આરોપ કરતા હોય છે. અધિકારીઑ મોટા બિલ મૂકી કાચું કામ કરી ભ્રષ્ટાચાર આચરતા હોય છે. અહી પણ સમયે સમયે થતાં આ કામમાં 14 લાખના બિલ મૂકી માત્ર 5 લાખમાં કામ પતાવી દેવામાં આવતું હોય તેનો આરોપ થઈ રહ્યો છે. આવા કામનો ભોગ ચોમાસામાં ખેડૂતો બને છે તેથી કૃષિ મંત્રી સાથે જોડિયા પંથકના ખેડૂતોની યોજાયેલી મીટીંગમાં પ્રમુખે અધિકારીઓની હાજરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી હવે ચલાવી નહી લેવાય એવી ચીમકી પણ આપી હતી.જેને હાજર ખેડૂતોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.
સમગ્ર મામલે સામે આરોપ કરનાર પ્રમુખ ધરમસી ચનીયારા પર પણ સવાલો થઈ રહ્યા છે કે જો તેમણે ઘણા સમયથી થતાં આ ભ્રષ્ટાચારની ખાતરી હતી તો કેમ હજુ સુધી કોઈ તપાસ બેસાડી ભ્રષ્ટ બાબુઑને સબક શીખવાડવામાં આવ્યો નથી? ત્યારે હવે જોવું રહ્યું કે કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં ખુદ પ્રમુખે લગાવેલા આરોપ બાદ કોઈ કાર્યવાહી થયા છે કે કેમ? કે ફક્ત ચીમકી આપી છોડી દેવાય છે.