જૂનાગઢમાં માતાના અચાનક મૃત્યુથી આઘાત પામેલી ત્રણ દીકરીઓએ મૃતક માતાની પ્રતિમા બનાવીને ઘરમાં સ્થાપન કરી
જૂનાગઢની લાગણીશીલ દીકરીઓ
'મા'ની વસમી વિદાય બાદ 'મા'ની પ્રતિમાનું સ્થાપન
'મા' નો ખાલીપો દૂર કરવા લીધો પ્રતિમાનો સાથ
માતૃભક્ત પુત્રીઓની અનોખી ભક્તિ
"મા" તે "મા" બીજા બધા વન વગડાના વા, આ પંક્તિ જૂનાગઢમાં સાર્થક થઇ છે. જૂનાગઢના એક પરિવારમાં જન્મેલી ત્રણ દીકરીઓની આ માતૃભક્તિની કહાની છે ત્રણ દીકરીઓએ માતાનું મૃત્યુ પછી ખાલીપો સર્જાયો તેને ભરવાનો અનોખો પ્રયાસ કરનારી લોકોને સંદેશો આપ્યો છે. જે પોતાના માતા-પિતાની લાગણી-તેની વ્યથા સમજવામાં નિસ્ફળ રહેતા દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો ખુલી રહયા છે. લોકો જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા ભક્ત બનીને મધર્સ ડે ની ઉજવણી કરીને એક દિવસમાં માતૃપ્રેમને દેખાડવામાં વ્યસ્ત બન્યા છે.
જૂનાગઢની લાગણીશીલ દીકરીઓ
ત્યારે જૂનાગઢની આ ત્રણ બહેનોએ કહ્યું હતું કે પોતાની જન્મદાત્રી માટે એક જ દિવસની ઉજવણી ન હોય તેના માટે તો આખું આયખું ખર્ચી નાખીએ તો પણ ઓછું પડે, શીતલ - કલ્પના અને જીયા આ માતૃભક્ત દીકરીઓએ સમાજને એક સંદેશો આપ્યો છે જે હરિદિપ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે આ કહાનીની શરૂઆત આઘાતજનક ઘટનાથી બને છે માતાનું બીમારીના કારણે અવસાન થયા પછી ત્રણ દીકરીઓના જીવનમાં ખલાઈપો સર્જાય છે માતાની સાક્ષીએ જીવનની એક એક ક્ષણ વિતાવતી આ દીકરીઓએ માતાના અવસાન પછી આ ખાલીપાને ભરવા માટે વિચાર કર્યો મનમાં વાત તો એ હતી કે માતા હીરાબેન સદેહે નથી રહયા પણ તેમનો આત્મા તો આપણી સાથે જ છે
માતાના મૃત્યુ પછી દીકરીઓએ તેમની 6 ફૂટની પ્રતિમા બનાવડાવી
માતાના મૃત્યુ પછી આ ત્રણેય દીકરીઓએ તેમની 6 ફૂટની પ્રતિમા બનાવડાવી એ પ્રતિમાને ચામુંડા માતાજીના ચોટીલા અસ્થિત મંદિરે દર્શન કરવા લઇ ગયા અને પછી જૂનાગઢ લાવ્યા જૂનાગઢમાં લાવ્યા પછી માતા હીરાબેન જાત્રા કરીને પરત ફર્યા હોય તે જ રીતે તેમની પ્રતિમાનું વાજતેગાજતે સ્વાગત કરીને ઘરમાં પ્રતિમાને સ્થપિત કરવામાં આવી એટલું જ નહીં સવારના નાસ્તાથી માંડી રાત્રીના ભોજન સહિતની તમામ ક્રિયાઓ તેમની હાજરીમાં પહેલા તેમને ભોજન પ્રસાદ ધર્યા બાદ કરવાનું શરુ કર્યું
ત્રણેય દીકરીઓએ માતાની મનગમતી પ્રવૃતિઓ શરુ કરી
માતાના મૃત્યુના એક વર્ષમાં જ આ ત્રણેય દીકરીઓએ માતાની મનગમતી પ્રવૃતિઓ શરુ કરી દીધી જેમાં ભુખ્યાને અન્ન ઉપરાંત સંગીત-ડાન્સ-બ્યુટીપાર્લર કલાસ વિના મુલ્યે શરુ કર્યા કારણ કે આવી સેવાકીય પ્રવૃત્તિ માતા હીરાબેનને ગમતી હતી દીકરીઓની આ માતૃભક્તિ સમાજના એલોકો માટે એક માર્ગદર્શક બની શકે છે જેને માતા-પિતાના ભરણપોષણ માટે પણ દાખડા પડે છે આ ત્રણેય બહેનો દરરોજ માતા હીરાબેનની સાક્ષીએ બધી પ્રવૃતિઓ કરે છે તેના પિતા પ્રદીપભાઈ જોશી એસટી નિગમમાં નોકરી કરતા હતા જે નિવૃત જીવન જીવી રહ્યા છે
માતા સદેહે અમારી સાથે નથી પણ તેમનો આત્મા હજુ અમારી સાથે છે
એક દીકરી કલ્પનાના લગ્ન થઇ ચુક્યા છે એક દીકરી એન્જીનયર છે અને એક દીકરી ઘરમાં રહીને માતાને ગમતી બધી પ્રવૃત્તિ તેને સાક્ષી રાખીને કરે છે આ ત્રણેય બહેનોનું કહેવું છે કે માતાના મૃત્યુને એક વર્ષ થયું તેઓ સદેહે અમારી સાથે નથી પણ તેમનો આત્મા હજુ અમારી સાથે છે અને અમને એવા અનુભવ પણ થાય છે જૂનાગઢની માતૃભક્ત દીકરીઓની આ કહાની મધર્સ ડે ઉજવવાના બહાને માત્ર એક દિવસનો દેખાડો કરી રહ્યા છે તેના માટે નવી દિશા બતાવનારો છે