ઉધમસિંઘ કંબોઝે જલિયાવાલા બાગમાં લાશો જોઈને પોતાની માતૃભૂમીની કસમ ખાધી અને બદલો લીધો. હસતા મોંએ શહીદી વહોરી. આવો જાણીએ આજનો દિવસ કેમ છે ખાસ?
આઝાદીની લડાઈમાં ઘણા વીર શહીદોનું લોહી રેડાયુ છે અને તેમણે મા ભોમની આઝાદી માટે હસતા મોંએ શહીદી વહોરી છે આવા જ શહીદ ઉધમસિંહે આજના દિવસે લંડનમાં જઈને જલિયાવાલ બાગ હત્યાકાંડમાં જેમનો હાથ હતો તેમને ગોળીમારી હતી. અને હસતા મોં ફાંસીને ગળે લગાવી હતી.
આ વીશે જાણવા જેવું
જનરલ ડાયર કોણ હતો? એણે શું કર્યુ અને શું ઉધમસિંહે તેને માર્યો હતો. તો ના. તો તેમણે આજના દિવસે એટલે કે, 13 માર્ચ 1940ના રોજ લંડનમાં જેમની હત્યા કરી હતી તે કોણ હતા અને તેમને કોને માર્યા હતા? આવો જાણીએ શહીદ ઉધમસિંહ કંબોઝ વિશે.
ઉધમસિંહ કંબોઝે લાશ જોઈને પોતાની માતૃભૂમીની કસમ ખાધી અને બદલો લીધો
1919માં 13 એપ્રિલ વૈશાખીને દિવસે પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગમાં ગોળીઓ વરસાવવામાં આવી અને સરકારી આંકડા મુજબ તેમાં 1000 લોકો માર્યા ગયા. ત્યારે ત્યાં પાણી પીવડાવી રહેલો એક અનાથ છોકરો ઉધમસિંહ કંબોઝ પણ હાજર હતો અને તે બચી ગયો અને બસ પછી તેણે મા ભોમની રક્ષા માટે ક્રાંતિનો માર્ગ અપનાવ્યો અને જલિયવાલા બાગનો બદલો લેવાનું બીડુ ઝડપ્યું.
પણ અહીં ઈતિહાસ કારોથી એક ચૂક થઈ છે કે, ઉધમસિંહ બદલો લીધો અને જનરલ ડાયરને માર્યો તો, ના એવું નથી. કેમ કે, જનરલ ડાયરને ગોળીબાર માટે પદ પરથી હટાવી દેવાય અને તે બ્રિટન પાછા ચાલ્યા ગયા. બ્રિટનમાં તેમને 10 કરોડ ચૂકવવામાં આવ્યા. જનરલ ડાયર 23 જુલાઈ 1927ના રોજ બ્રેઈન હેમરેજમાં મરી ગયો. તો પછી ઉધમ સિંહે કોને માર્યા?
આજના દિવસે કરી હત્યા
13 માર્ચ 1940ના દિવસે લંડનમાં કેક્સન હોલમાં જેમની હત્યા કરીને ઉધમસિંહ શહીદ થયા તે જલિયાવાલ બાગ હત્યાકાંડ વખતે પંજાબના ગર્વનર Michael O'Dwyer હતા એ વખતે ઉધમસિંહના નિશાના પર Michael O'Dwyer એકલા જ નહોતા પણ જલિયાવાલ બાગ હત્યાકાંડ વખતે પંજાબના સેક્ટ્રેટરી ઓફ ઈન્ડિયન અફેર્સન લોરેન્સ પણ હતા પરંતુ તે બચી ગયા હતા.
હસતા મોં ફાસી પર ચઢ્યા
Michael O'Dwyerની હત્યા બાદ ઉધમસિંહ ભાગ્યા નહીં પરંતુ તેમણે આત્મસમર્પણ કરી દીધું. આખરે 42 દિવસની ભૂખ હડાતળ બાદ બ્રિટન 31 જુલાઈ 1940ના રોજ તેમને ફાંસી આપી દેવામાં આવી. તેમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા અને મ્યુઝિમમાં સાચવીને રાખવામાં આવ્યા છે.